'...તો બોધગયામાં ના થયા હોત વિસ્ફોટ'

bodhgaya
નવી દિલ્હી, 9 જુલાઇઃ બોધગયા વિસ્ફોટની જવાબદારી કોન લે, તેને લઇને રાજકારણી શરૂ થઇ ગયું છે, બિહારમા સત્તાધિશ જેડીયુએ દિલ્હી પોલીસ પર પલટવાર કર્યો છે. જેડીયુએ કહ્યું છે કે, બોધગયામાં આતંકી હુમલાને ટાળી શકાયો હોત, જો દિલ્હી પોલીસે પુણે વિસ્ફોટના આરોપી અને ઇન્ડિયન મુઝાહિદ્દિનના યાસીન ભટકળની સમયસર ધરપકડ કરી લીધી હોત.

આ પહેલા દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે તેમણે બોધગયામાં આતંકી હુમલાની આશંકા અંગે બિહાર પોલીસને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી. હવે જેડીયુનું આ નિવેદન દિલ્હી અને પટના વચ્ચે તણાવ વધારી શકે છે.

જેડીયુના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ સુરેશ નિરંજને કહ્યું કે, ગત દિવસોમાં દિલ્હી પોલીસે બાતમીદાર મોહમ્મદ નકીની મદદથી મુંબઇએ આઇએમ સંસ્થાપક યાસીન ભટકલની ધરપકડની યોજના બનાવી હતી. જો આ યોજના અનુસાર ભટકલની ધરપકડ કરવામાં આવી હોત તો, કદાચ બોધગયામાં આતંકી ઘટનાને રોકી શકાઇ હોત.

તેમણે એમ પણ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ સુરક્ષામાં ચૂક રહી હોવાની વાત સ્વિકારી છે, પરંતુ પ્રદેશને સૂચના આપવા માત્રથી કેન્દ્ર સરકારની જવાબદારી પૂર્ણ થઇ જતી નથી. કેન્દ્રને સૂચના આપ્યા બાદ તેના પર પ્રદેશ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા સકારાત્મક પગલાંની પૂછપરછ પણ કરવી જોઇએ. આવું કરવામાં આવે તો આતંકી વારદાતની આશંકા ઘણી ઓછી થઇ જાય છે.

દિલ્હી પોલીસે ગયા વર્ષે મોહમ્મદ નકી નામના એક બાતમીદારની મદદથી ભટકલની મુંબઇમા ધરપકડ કરવાની યોજના બનાવી લીધી હતી, પરંતુ મુંબઇ પોલીસે નકીની ધરપકડ કરીને આખી યોજના પર પાણી ફેરવી દીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X