રથ પર સવાર નીતિશે પર PM સાધ્યો નિશાનો
દિલ્હીમાં થનારી જેડીયુની આ બેઠકને રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓને સંબોધિત કરશે. બેઠકમાં પહેલા દિવસે બંધ કમરામાં સવા સો જેડીયુ નેતા રાજનીતિક, આર્થિક પ્રસ્તાવ પારિત કરશે અને તેની સાથે જ શરદ યાદવને ફરીથી અધ્યક્ષ પંસદ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે.
જેડીયુની બેઠકમાં સૌથી મહત્વનો હશે રવિવારનો દિવસ, કારણ કે ખુલા સત્રમાં નીતિશ કુમાર પાર્ટીને દિશા આપશે. માનવામાં આવી રહ્યું છે કે નીતિશનું ભાષણમાં ભાજપને નિશાન બનાવી શકે છે.
દિલ્હીમાં થવા જઇ રહી છે જેડીયુની આ બેઠકને ભાજપના સંબંધોને લઇને ખાસ માનવામાં આવી રહ્યાં છે. ભાજપમાં પીએમ પદ માટે મોદી પર આમ સહમતિના પ્રયત્નો પર જેડીયુનો ઇન્કાર છે, પરંતુ ભાજપ માટે રાહતના સમાચાર એ છે કે જેડીયુની બેઠકમાં રજૂ થનારા રાજનીતિક પ્રસ્તાવથી મોદીનું નામ હટાવી દીધું છે.
રાજકીય સૂત્રોએ દાવો કર્યો છેકે જેડીયુ આ વાત પર પણ નથી એડલી કે ભાજપ પીએમ પદ માટે ઉમેદવારનું નામ પહેલા ઘોષિત કરે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજનાથ સિંહની શરદ યાદવ અને નીતિશ કુમાર સાથે વાતચીત બાદ પાર્ટીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.