Jharkhand Election 2024 : BJP ઝારખંડમાં કેમ હારી? આ રહ્યાં કારણો
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડના લોકોએ બીજેપીને જાકારો આપ્યો છે. હિન્દુ-મુસ્લિમના નામે મતોનું ધ્રુવીકરણ કરતી બીજેપીને ઝારખંડના લોકોએ નકારી છે.
બીજેપી ઝારખંડમાં ખરાબ રીતે હારી તેની પાછળ ઘણા કારણો છે. અહીં બીજેપીનું હિન્દુ-મુસ્લિમ કાર્ડ ફેલ જવા ઉપરાંત આદિવાસીઓ પણ નાખુશ હતા.

મૈયા સન્માન યોજના
ઝારખંડની હેમંત સરકારની 'મૈયા સન્માન યોજના બીજેપીના નફરતી એજન્ડા પર ભારે પડી છે. અહીંની ગરીબ મહિલાઓ માટે દર મહિને 1,000 રૂપિયાની સહાય મોટી છે.
ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ઝારખંડની 81 બેઠકોમાંથી આ વખતે મહિલાઓએ 68 બેઠકો પર પુરુષો કરતાં વધુ મતદાન કર્યું. આ મતોએ હેમંત સોરેનને જીતાડી દીધા.
જયરામ મહતોની પાર્ટીએ બીજેપીને હરાવી
અહેવાલો અનુસાર, ઝારખંડમાં ભાજપની હારનું મુખ્ય કારણ જયરામ મહતો અને તેમનો ઝારખંડ ડેમોક્રેટિક રિવોલ્યુશનરી ફ્રન્ટ છે. મહતોએ એક સીટ જીતી હોવા છતાં તેની પાર્ટીને ઓછામાં ઓછી 16 સીટો પર જીતના માર્જીન કરતા વધુ વોટ મળ્યા છે. બીજેપીને જયરામ મહતોને ઓછા આંકવા ભારે પડ્યા છે.
આદિવાસીઓનો ભરોષો જીતવામાં નાકામી
ઝારખંડમાં બીજેપીની હાર પાછળનું મુખ્ય કારણ બીજેપીની આદિવાસીઓ વિરોધી નીતિ પણ માનવામાં આવે છે. આ સિવાય હેમંત સોરેનને અપાયેલા ત્રાસનો બદલો પણ આદિવાસી પ્રજાએ મત આપીને લીધો છે. હેમંત સોરેન પાછળ ઈડી છોડવી બીજેપીને ભારે પડી છે.












Click it and Unblock the Notifications
