જયારે ગુજરાતમાં બિહારીઓને મારવામાં આવ્યા ત્યારે મોદી-શાહ ક્યાં હતા
લોકસભા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા ગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાનીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે.
લોકસભા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા ગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાનીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે જયારે ગુજરાતમાં બિહાર અને યુપીના મજૂરોને મારવામાં આવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી અને અમિત શાહ લોકોને અપીલ કરવાને બદલે મંજીરા વગાડી રહ્યા હતા.
આ પણ વાંચો: અમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકાર

પીએમ મોદી પર પ્રહાર
ગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાની સોમવારે આરા લોકસભાથી ગઠબંધનના નેતા રાજુ યાદવના પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે જયારે ગુજરાતમાં બિહાર અને યુપીના મજૂરોને મારવામાં આવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી અને અમિત શાહ લોકોને અપીલ કરવાને બદલે મંજીરા વગાડી રહ્યા હતા. તે સમયે ગુજરાતમાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાની જ હતા જેમને ગુજરાતીઓને શાંત રહેવા માટે અપીલ કરી હતી. જીગ્નેશ મેવાનીએ કહ્યું કે ત્યારે મેં રાજધાની પટના રેલીમાં હાથ જોડીને ગુજરાતની ઘટના માટે માફી માંગી હતી.

ગિરિરાજ સિંહ પર કેસ કરશે
ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના આરોપો પર જીગ્નેશ મેવાનીએ ભારે પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે તેઓ ગિરિરાજ સિંહ સામે માનહાનિનો દાવો કરશે. આ દરમિયાન તેમને ભાજપા હટાવો સંવિધાન બચાવો નારો પણ આપ્યો. જીગ્નેશ મેવાનીએ બેરોજગારી વધારવા અને ચૂંટણી આવતા જ રામ વિરુદ્ધ રહીમ, મંદિર વિરુદ્ધ મસ્જિદ અને ભારત સામે પાકિસ્તાનનો નારો પીએમ મોદીનું તરકટ ગણાવ્યું.

રાજુ યાદવને વોટ આપવાની અપીલ
જીગ્નેશ મેવાનીએ રજુ યાદવને એક સંઘર્ષશીલ નેતા ગણાવતા આરા લોકસભાથી તેમની જીત સુનિશ્ચિત ગણાવી. આપણે જણાવી દઈએ કે હાલમાં જીગ્નેશ મેવાની બિહારમાં ગઠબંધન માટે પ્રચાર કરી રહ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
