જયારે ગુજરાતમાં બિહારીઓને મારવામાં આવ્યા ત્યારે મોદી-શાહ ક્યાં હતા
લોકસભા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા ગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાનીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે.
લોકસભા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા ગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાનીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે જયારે ગુજરાતમાં બિહાર અને યુપીના મજૂરોને મારવામાં આવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી અને અમિત શાહ લોકોને અપીલ કરવાને બદલે મંજીરા વગાડી રહ્યા હતા.
આ પણ વાંચો: અમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકાર
પીએમ મોદી પર પ્રહાર
ગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાની સોમવારે આરા લોકસભાથી ગઠબંધનના નેતા રાજુ યાદવના પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે જયારે ગુજરાતમાં બિહાર અને યુપીના મજૂરોને મારવામાં આવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી અને અમિત શાહ લોકોને અપીલ કરવાને બદલે મંજીરા વગાડી રહ્યા હતા. તે સમયે ગુજરાતમાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાની જ હતા જેમને ગુજરાતીઓને શાંત રહેવા માટે અપીલ કરી હતી. જીગ્નેશ મેવાનીએ કહ્યું કે ત્યારે મેં રાજધાની પટના રેલીમાં હાથ જોડીને ગુજરાતની ઘટના માટે માફી માંગી હતી.
ગિરિરાજ સિંહ પર કેસ કરશે
ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના આરોપો પર જીગ્નેશ મેવાનીએ ભારે પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે તેઓ ગિરિરાજ સિંહ સામે માનહાનિનો દાવો કરશે. આ દરમિયાન તેમને ભાજપા હટાવો સંવિધાન બચાવો નારો પણ આપ્યો. જીગ્નેશ મેવાનીએ બેરોજગારી વધારવા અને ચૂંટણી આવતા જ રામ વિરુદ્ધ રહીમ, મંદિર વિરુદ્ધ મસ્જિદ અને ભારત સામે પાકિસ્તાનનો નારો પીએમ મોદીનું તરકટ ગણાવ્યું.
રાજુ યાદવને વોટ આપવાની અપીલ
જીગ્નેશ મેવાનીએ રજુ યાદવને એક સંઘર્ષશીલ નેતા ગણાવતા આરા લોકસભાથી તેમની જીત સુનિશ્ચિત ગણાવી. આપણે જણાવી દઈએ કે હાલમાં જીગ્નેશ મેવાની બિહારમાં ગઠબંધન માટે પ્રચાર કરી રહ્યા છે.