Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જેએનયુ હિંસા: સાબરમતી છાત્રાલયમાં 150 નકાબધારી હુમલાખોરો વિદ્યાર્થીઓને મારતા હતા

સાબરમતી છાત્રાલયના વોર્ડને 5 જાન્યુઆરીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પર થયેલા હુમલા અંગે જેએનયુ વહીવટીતંત્રને રિપોર્ટ આપ્યો છે. વોર્ડનના રિપોર્ટમાં તે દિવસ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

સાબરમતી છાત્રાલયના વોર્ડને 5 જાન્યુઆરીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પર થયેલા હુમલા અંગે જેએનયુ વહીવટીતંત્રને રિપોર્ટ આપ્યો છે. વોર્ડનના રિપોર્ટમાં તે દિવસ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. અહેવાલ મુજબ હિંસાના દિવસે આશરે 150 જેટલા હુમલાખોરોએ સાબરમતી છાત્રાલયમાં પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. તે છાત્રાલયોમાં રહેતા કેટલાક પસંદ કરાયેલા વિદ્યાર્થીઓની શોધ કરી રહ્યા હતા.

સાબરમતી છાત્રાલયના વોર્ડને રીપોર્ટ રજુ કર્યો

સાબરમતી છાત્રાલયના વોર્ડને રીપોર્ટ રજુ કર્યો

જ્યારે ઈન્ડિયા ટુડે ટીવીએ સાબરમતી છાત્રાલયના વોર્ડન દ્વારા જેએનયુ વહીવટને આપેલા અહેવાલની તપાસ કરી ત્યારે ઘણી બાબતો સામે આવી. 5 જાન્યુઆરીએ, કેટલાક નકાબધારી હુમલાખોરોએ જેએનયુ કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર માર્યો હતો. હુમલાખોરોએ છાત્રાલયમાં રોકાતા વિદ્યાર્થીઓ પર પણ હુમલો કર્યો હતો, ત્યારબાદ વિદ્યાર્થીઓ જેએનયુમાં વિરોધ કરી રહ્યા છે. લાકડીઓ અને લોખંડના સળિયાથી સજ્જ નકાબધારી હુમલાખોરો યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કર્યો અને સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતુ.

પહેલો હુમલો સાંજે 4 વાગ્યે થયો હતો

પહેલો હુમલો સાંજે 4 વાગ્યે થયો હતો

ઈન્ડિયા ટુડે ટીવી અનુસાર સાબરમતી હોસ્ટેલ વોર્ડનના અહેવાલમાં હિંસા દિવસ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. છાત્રાલયમાં સાંજે 4 થી રાત્રીના 8 વાગ્યા સુધીની તમામ ઘટનાની માહિતી અહેવાલમાં લખવામાં આવી છે. મેસ વોર્ડન સ્નેહાના જણાવ્યા અનુસાર 5 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 40 થી 50 લોકો મોં પર માસ્ક પહેરીને હોસ્ટેલમાં પ્રવેશ્યા હતા. તે પોતાના રૂમમાં કેટલાક પસંદ કરેલા વિદ્યાર્થીઓની શોધ કરી રહ્યા હતા, જ્યારે તે ત્યાં મળતા ન હતા ત્યારે હુમલો કરનારા અન્ય રૂમમાં જતા હતા. આ ઘટના બાદ 3 વોર્ડને 5.30 વાગ્યે બેઠક યોજી હતી અને પોલીસને મદદ માટે બોલાવી હતી.

હુમલાખોરોમાં પુરુષો અને મહિલાઓ શામેલ

હુમલાખોરોમાં પુરુષો અને મહિલાઓ શામેલ

અહેવાલ મુજબ, હોસ્ટેલના વોર્ડને મુખ્ય સુરક્ષા અધિકારીને વધુ સુરક્ષા દળ મોકલવા પત્ર પણ લખ્યો હતો, પરંતુ સુનાવણી થઈ ન હતી. પોલીસ 6.45 સુધી હોસ્ટેલમાં આવી નહોતી. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સાંજે સાત વાગ્યાની આસપાસ હુમલો કરનારાઓ ફરીથી છાત્રાલયમાં પ્રવેશ્યા અને આ વખતે તેમની સંખ્યા લગભગ 150 ની હતી. હુમલાખોરોમાં પુરુષો અને મહિલાઓ હતા જેના મોઢા પર માસ્ક હતા અને હાથમાં લાકડીઓ અને સળિયા હતાં. હુમલાખોરોએ એક અંધ વિદ્યાર્થી સહિત વિદ્યાર્થીઓના 30 થી વધુ રૂમમાં તોડફોડ કરી હતી. છાત્રાલયના મુખ્ય દરવાજા અને મેસ દરવાજાના કાચ પણ તૂટી ગયા હતા.

સિનિયર વોર્ડન પર પણ હુમલો થયો

સિનિયર વોર્ડન પર પણ હુમલો થયો

સાબરમતી છાત્રાલયના અહેવાલ મુજબ, આ બનાવ બન્યો તે દરમિયાન 2 વિદ્યાર્થીઓએ હુમલાખોરોથી બચાવવા માટે વોર્ડન સ્નેહાના ઘરે આશરો લીધો હતો. સાબરમતી છાત્રાલયના વરિષ્ઠ વોર્ડન, જેમણે હવે રાજીનામું આપ્યું છે, તેણે સ્નેહાને જાણ કરવા જણાવ્યું કે તેના પર પણ હુમલો થયો છે અને તે હોસ્ટેલમાંથી છટકી ગઈ છે. રાત્રે 8 વાગ્યે સેનિટેશન વોર્ડન પહોંચ્યો ત્યારે પોલીસ અને હોસ્પિટલને કોલ કરવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X