જેપી નડ્ડાએ સોનિયા ગાંધીને પૂછ્યુ, દેશને જણાવો કોંગ્રેસે કઈ રીતે કર્યો જનતા સાથે વિશ્વાસઘાત
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે કોંગ્રેેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિશાના પર લઈને ઘણા સવાલ પૂછ્યા.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે કોંગ્રેેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિશાના પર લઈને ઘણા સવાલ પૂછ્યા. તેમણે કહ્યુ કે કોરોના કે ચીન સાથે ભારતના તણાવની આડમાં સોનિયા ગાંધી મૂળ પ્રશ્નોથી બચવાનો પ્રયત્ન કરી રહી છે. વર્ષ 2005થી 2008 સુધી પીએમ નેશનલ રિલીફ ફંડથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા કેમ મોકલવામાં આવ્યા, દેશની 130 કરોડની જનતા સોનિયા ગાંધી પાસે આ વિશે જવાબ ઈચ્છે છે.
ભારત અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ, 'હું સોનિયાજીને એ કહેવા ઈચ્છુ છે કે કોરોનાના કારણે કે ચીનની સ્થિતિના કારણે મૂળ પ્રશ્નોથી બચવાથી પ્રયત્ન ન કરે. ભારતની સેના દેશ તરફથી આપણી સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિતછે. તેમને સવાલ પૂછીને કહ્યુ છે કે પીએમ નેશલ રિલીફ ફંડ જે લોકોની સેવા અને તેને રાહત પહોંચાડવા માટે છે. તેનાથી 2005-08 સુધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા કેમ ગયા? આપણા દેશની જનતા આનો જવાબ જાણવા ઈચ્છે છે.'
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આગળ કહ્યુ, '130 કરોડનો દેશ જાણવા ઈચ્છે છે કે કોંગ્રેસે સત્તામાં રહીને શું શું કામ કર્યુ અને કઈ રીતે પોતાના દેશને વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે.'
Why did you take donation in Rajiv Gandhi Foundation from Mehul Choksi and give loan to him? The country wants to know as to why the foundation took money from Mehul Choksi and what is the relation between Mehul Choksi and Rajiv Gandhi Foundation?: BJP Chief JP Nadda pic.twitter.com/1V0zABLdPA
— ANI (@ANI) June 27, 2020
આંધ્રપ્રદેશમાં વધુ એક ફેક્ટરીમાં ગેસ લીકેજ, 1 કર્મચારીનુ મોત, ત્રણ ઘાયલ