EWS અનામતથી સહેમત ન હતા જસ્ટિસ ભટ, કહ્યું- SC/ST/OBC સાથે ભેદભાવ કેમ?
સુપ્રીમ કોર્ટે EWSને લઇ મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમે EWS અનામતને સમર્થન આપ્યું છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી
સુપ્રીમ કોર્ટે EWSને લઇ મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમે EWS અનામતને સમર્થન આપ્યું છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સરકારની આ જોગવાઈને યોગ્ય માનતા કોર્ટે વિરોધીઓની અરજી ફગાવી દીધી છે, હવે આ નિર્ણય બાદ સામાન્ય વર્ગના લોકોને પણ આર્થિક ધોરણે 10 ટકા અનામત મળશે. ખાસ વાત એ છે કે આ મામલાની સુનાવણી 5 જજોની બંધારણીય બેંચ કરી રહી હતી, પરંતુ આર્થિક આધાર પર અનામતનો નિર્ણય 3-2થી આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ કેસની સુનાવણી કરનાર બંધારણીય બેંચમાં પાંચ જજો હતા. જેમના નામ છે CJI UU લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અનામતની જોગવાઈ પર અસંમત હતા, જ્યારે તેમની વાત સાથે સહમત થતા CJI UU લલિતે પણ કહ્યું કે તેઓ ભટ સાથે સંમત છે. લાઈવ લો મીડિયા અનુસાર જસ્ટિસ ભટે કહ્યું કે 'SC/ST/OBCને EWS અનામતના દાયરામાં બહાર રાખવું એ ભેદભાવપૂર્ણ છે.'
મોદી સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી છે, પરંતુ આ વર્ગીકરણ મનસ્વી છે. તેમણે કહ્યું કે આર્થિક માપદંડો પર અનામત ઉલ્લંઘન કરતું નથી પરંતુ SC/ST/OBC ને EWS અનામતના દાયરામાં રાખવું ભેદભાવપૂર્ણ છે.