Rahul Gandhi Defamation case : મારા પિતા અને ભાઇ કોંગ્રેસમાં છે, હું શું સુનાવણી કરું : જસ્ટિસ ગવઇ
Rahul Gandhi Defamation case : મોદી અટક મામલો હવે સુપ્રિમ કોર્ટમાં છે. સુપ્રિમ કોર્ટમાં શુક્રવારના રોજ મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ બીઆર ગવઇ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેચે ફરિયાદી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.
આ દરમિયાન આ મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ બીઆર ગવઈએ આ કેસમાંથી પોતાને અલગ કરવાની ઓફર કરી છે. જસ્ટિસ બીઆર ગવઈએ શુક્રવારના રોજ કોંગ્રેસ પાર્ટી સાથે તેમના પરિવારના સંબંધોનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમના પિતા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમના ભાઈ હજુ પણ પાર્ટીના સક્રિય સભ્ય છે.

રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે આ ખુલાસો કર્યો હતા. જસ્ટિસ ગવઈએ રાહુલ ગાંધી વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા મનુ સિંઘવીને જણાવ્યું હતું કે, મારા પિતા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. હું કોંગ્રેસનો સભ્ય ન હોવા છતાં મારા નજીકના મિત્રો તેની સાથે જોડાયેલા હતા.
જસ્ટિસ ગવઈએ વધુમાં પૂછ્યું કે, સિંઘવીજી તમે પણ 40 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ સાથે છો અને મારો ભાઈ હજૂ પણ રાજકારણમાં છે અને કોંગ્રેસમાં છે. ઉલ્લેખનીય છે કે, તમે મને આ સુનાવણીમાં સામેલ કરવા માંગો છો કે નહીં. જોકે, બંને પક્ષોએ જણાવ્યુ હતું કે, તેઓને આ મામલાની સુનાવણી જસ્ટિસ ગવઈ સામે કોઈ વાંધો નથી.
ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે પ્રતિવાદી પૂર્ણેશ ઇશ્વર મોદી અને ગુજરાત રાજ્યને નોટિસ પાઠવી હતી અને આ બાબતને વધુ વિચારણા માટે 4 ઓગસ્ટે સૂચિબદ્ધ કરી હતી. રાહુલ ગાંધી વતી કહેવામાં આવ્યું કે, 'અરજીકર્તાઓ 111 દિવસથી પરેશાની ભોગવી રહ્યા છે. તેઓ સંસદનું એક અને બીજું સત્ર ચૂકી ચૂક્યા છે. વાયનાડ સંસદીય ક્ષેત્ર માટે ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. જેમાં ગેરલાયક ઠરવાની ચિંતા છે. અયોગ્યતા કામચલાઉ ધોરણે સ્થગિત થઈ શકે છે.
નોંધનીય છે કે, 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. આ અંગે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સુરત કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમના સાંસદસભ્ય પદ પણ ગુમાવ્યું હતું. સજા વિરુદ્ધ રાહુલ સુરત સેશન કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયો હતો, પરંતુ ત્યાંથી તેને રાહત મળી ન હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
