બીજેપી નેતાનું પ્રમોશન સ્ટંટ? મોદી અને કાબિલ બન્નેને કરી પ્રમોટ!
બીજેપીના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયે સોશ્યલ મીડિયાની પોસ્ટે ઊભો કર્યો વિવાદ.જાણો શું છે આખો મામલો
બીજેપીના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેને જોઇને તે સમજવું મુશ્કેલ થઇ જાય છે કે તે રાજકારણ કરી રહ્યા છે કે ફિલ્મનું પ્રમોશન? આ પોસ્ટમાં તેમણે હાલમાં રજૂ થનારી બે ફિલ્મો રઇઝ અને કાબિલનો ઉલ્લેખ કર્યો છે. હૃતિક રોશનની ફિલ્મ કાબિલના ટાઇટલને લઇને તેમણે આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે જવાબદારીપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધી રઇઝ ગણાવ્યા છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું છે કે કાબિલ વ્યક્તિ હોય તો તે ભલેને ચાવાળો હોય વડાપ્રધાન બની શકે છે. પણ ક્યારેક તેવું પણ બને છે કે મોઢામાં ચાંદીની ચમચી લઇને જન્મેલા રઇઝને પણ ફાટેલા કૂર્તા પહેરવાનો વારો આવે છે.

#IndiaFrist
નોંધનીય છે કે તેમણે આ પોસ્ટ #IndiaFristના હેશટેગ પાસે તેમના એકાઉન્ટ પર ટોપપીન કર્યો છે. વધુમાં તેમણે લખ્યું છે કે અમારા દેશના કાબિલ બધી રીતે પરદેશી રઇઝથી શ્રેષ્ઠ છે. વધુમાં તેમના ફેસબુક એકાઉન્ટમાં પણ તેમણે લખ્યું છે કે રઇઝ દેશનો નથી તે કોઇ કામનો નથી અને કાબિલ દેશભક્ત છે.

દાઉદની તુલના શાહરૂખ ખાન સાથે
એટલું જ નહીં કૈલાશે વડોદરામાં રઇઝના રેલ પ્રમોશન વખતે જે વ્યક્તિની મોત થઇ તે માટે પણ શાહરૂખ ખાનને જવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે દાઉદ પણ રસ્તા પર ઉતરી આવે તો ભીડ જમા થઇ જશે. વડોદરામાં થયેલી મોત માટે એક્ટર જ જવાબદાર છે.

કેમ છે શાહરૂખ પર ગુસ્સો?
નોંધનીય છે કે કૈલાશ વિજયવર્ગીય જે બીજેપીના જનરલ સેક્રેટરી પણ છે તે બોલીવૂડના બન્ને ખાનોથી ખીજાયેલા છે. જે પાછળ આમિર ખાન અને શાહરૂખ ખાનની અસહિષ્ણુતા વાળી કમેન્ટ જવાબદાર છે તેમ મનાઇ રહ્યું છે. તેમણે દગંલની રિલિઝ વખતે પણ આવી જ ટિપ્પણી કરી હતી. અને હવે રઇઝની રિલિઝ પહેલા પણ તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર આવી ટિપ્પણી કરી વિવાદ ઊભો કર્યો છે.

રઇઝનો વિરોધ
નોંધનીય છે કે વડોદરામાં એક વ્યક્તિની મોત બાદ, ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં ઠેર ઠેર રઇઝની ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં રઇઝના શૂટિંગ વખતેત પણ શાહરૂખ ખાનની કાર પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. અને આ માટે બજરંગદળ અને શાહરૂખની અસહિષ્ણુતા વાળી ટિપ્પણી જવાબદાર હતી તેવું માનવામાં આવે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
