For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૈનિકોનું શિરચ્છેદ એક ક્રુરતાઃ કલામ

By Super
|
Google Oneindia Gujarati News

APJ-Abdul-Kalam
કોઇમ્બતુર, 12 જાન્યુઆરીઃ પાકિસ્તાનની સેના દ્વારા બે ભારતીય સૈનિકોનું શિરચ્છેદ કરવાની ઘટનાને ક્રુરતા ગણાવતા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામે કહ્યું કે સરકારે આ મુદ્દે નિશ્ચિત રીતે આકરા પગલાં ભરવા જોઇએ.

આ મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કલામે કહ્યું કે, આ એક ક્રુરતા છે. નિશ્ચિત રીતે ભારત સરકાર આ મામલે કડક પગલાં ભરશે. દિલ્હી સામુહિક બળાત્કાર મામલે આરોપીઓને દંડ આપવાના મામલે તેમણે કહ્યું કે અદાલત નક્કી કરશે કે શું યોગ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાની લશ્કરે બેશરમીની હદ વટાવી દીધી છે. છેલ્લા 4 દિવસથી ભારત-પાકિસ્તાનની સરહદ પર ભારતીય જવાનો પર પાકિસ્તાનના જવાનોએ કરેલા બર્બર કૃત્ય અંગે ભારતે તેને ઠપકો આપવા છતાં શુક્રવારની રાતભર તેણે સરહદ પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ભારતીય લશ્કરમાંના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની સેનાએ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર આવેલી કૃષ્ણા ઘાટી અને સોના ગલી સેક્ટરોમાં ભારતીય લશ્કરની પાંચ ચોકીઓ પર ગોળીબાર કર્યો છે. તેમણે આ ગોળીબાર ગઈ શુક્રવારથી શરૂ કર્યો હતો અને આખી રાત ચાલુ રાખ્યો હતો.

English summary
Describing as cruel the beheading of two Indian soldiers by Pakistani troops, former President APJ Adbul Kalam today said the government would "definitely" take stern action on the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X