શીખ વિરોધી હિંસાની આગમાં કમલનાથની આહુતિ, રાજીનામુ મંજૂર

દિલ્લી:બુધવાર મોડી રાત્રે કોંગ્રેસ સચિવ કમલનાથે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જે કોંગ્રેસ સુપ્રિમ સોનિયા ગાંધી દ્વારા મંજુર પણ કરી લેવામાં આવ્યુ છે. પંજાબમાં થયેલા શીખ રણખાણોમાં વારંવાર કમલનાથનુ નામ લેવાઈ રહ્યુ છે અને અન્ય પાર્ટી દ્વારા વારંવાર થતા ટાર્ગેટ થી કંટાળી કમલનાથે પોતાનુ રાજીનામુ આપવુ યોગ્ય માન્યુ છે.

કમલનાથ પર આમઆદમી પાર્ટી અને ભાજપ ઉપરાંત અકાલીદળ દ્વારા પંજાબમાં થયેલા શીખ રમખાણો માટે જવાબદાર ઠેરવાઈ રહ્યા છે. રાજીનામુ આપ્યા બાદ કમલનાથે મિડિયા સમક્ષ પોતાની વાત મુકતા કહ્યુ કે, પંજાબમાં અત્યારે ડ્રગ્સ અને ખેડુતોના પ્રશ્નો છે તેવા સમયે લોકો માટે આ જુનો મુદ્દો મહત્વનો છે. આ કારણથી હું પોતાનુ રાજીનામુ આપુ છુ.

sonia gandhi


પંજાબની આગામી ચુંટણીનો ભોગ બન્યા કમલનાથ
તમને જણાવી દઈએ કે આવતા વર્ષે પંજાબમાં ચુંટણી આવી રહી છે. વારંવાર અન્ય પક્ષો દ્વારા કમલનાથ પર આક્ષોપો મુકાઈ રહ્યા છે. કે તેઓ શીખ દંગા માટે જવાબદાર છે. જેવા સમયે આમ આદમી પાર્ટી અને ભાજપને આ અંગે કોઈ મુદ્દો ન મળી રહે તે માટે સોનિયાજી એ તેમનુ રાજીનામુ મંજુર કરી લીધુ છે.

1984ની શીખ હિંસામા કમલનાથની સંડોવણી આ અંગે આમ આદમી પાર્ટીનુ કહેવુ છે કે તે સમયે પ્રધાનમંત્રી રાજીવગાંધીના આદેશોનુ પાલન કરવા બદલ કમલનાથને પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. શીખ વિરોધી હિંસામાં કમલનાથનુ નામ વારંવાર લેવાયુ છે તેમ છતાં તેમને કિલ્નચીટ કેવી રીતે મળી?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X