રાહુલ PM તરીકે અનફીટ, મોદીને શંકરાચાર્યે આપ્યા આશિર્વાદ

એક બિઝનેસ ન્યૂઝ ચેનલ સાતે વાતચીતમાં શંકરાચાર્યએ કહ્યું કે મોદી મહાન ગુણોવાળા વ્યક્તિ છે અને આગામી લોકસભા ચૂંટણીમાં તે પ્રધાનમંત્રી પદ માટે સંપૂર્ણપણે યોગ્ય છે. શંકરાચાર્યે ભાજપના સૂરમા સૂર મેળવતા કોંગ્રેસ પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સેક્યુલારિઝમના નામે મુસલમાનો અને ખ્રિસ્તીઓના વોટ મેળવવા માગે છે.
આ ઉપરાંત શંકરાચાર્યે ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. શંકરાચાર્ય સરસ્વતીએ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની ટીકા કરી હતી, પરંતુ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે આ બન્ને પૂર્વ પ્રધાનમંત્રીના કમોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
