કપિલ સિબ્બલનુ પીએમ મોદી પર નિશાન, કહ્યુ - ગુજરાતથી દિલ્લી પહોંચેલા નેતા ગાંધીજી વિશે કંઈ નથી જાણતા
ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.
અમદાવાદઃ ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. અમદાવાદ પહોંચેલા કપિલ સિબ્બલે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે જે નેતા ગુજરાતથી દિલ્લી પહોંચ્યા છે તે કદાચ ગાંધીજી વિશે બહુ ઓછુ જાણે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલે કહ્યુ કે ગાંધીજી કહેતા હતા કે માત્ર ઈશ્વર છે અને ઈશ્વર જ સત્ય છે, હું મોદીજીને પૂછવા માંગુ છે કે તમારી સચ્ચાઈ ક્યાં છે? તમારા શબ્દોમાં પણ જૂઠ હોય છે અને કામોમાં પણ.

બાપૂને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા પીએમ મોદી
તમને જણાવી દઈએ કે 152મી ગાંધી જયંતિ નિમિત્તે શનિવારે પીએમ મોદીએ રાજઘાટ જઈને ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પીએમ મોદી લાલ બહાદૂર શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. રાજઘાટ જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીનુ જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ એક અન્ય ટ્વિટમાં કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતિ પર શત-શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનુ જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
પંજાબ કોંગ્રેસ ઘટનાક્રમ પર બોલ્યા હતા સિબ્બલ
વળી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલ હાલમાં જ કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સામે અવાજ ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસમાં થઈ રહેલ રાજકીય ઘમાસાણ પર કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે પાર્ટીમાં જેને મુશ્કેલીઓ છે તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. આ રીતે પાર્ટીની જાહેરમાં અપમાન કરવુ યોગ્ય નથી. સિબ્બલે કહ્યુ હતુ કે એક સીમાવર્તી રાજ્ય(પંજાબ) જ્યાં કોંગ્રેસ પાર્ટી સાથે આવુ થઈ રહ્યુ છે, આનો અર્થ શું છે? આનાથી આઈએસઆઈ અને પાકિસ્તાનને ફાયદો છે. કોંગ્રેસે સુનિશ્ચિત કરવુ જોઈએ કે તે એકજૂટ રહે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે કેરળમાં પણ આપણા ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટી છોડી છે. આપણે ખુદને એ પૂછવુ જોઈએ કે આવુ કેમ થઈ રહ્યુ છે, કદાચ આપણી જ કોઈ ભૂલ છે. સિબ્બલના આ નિવેદન બાદ તેમને પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
