કર્ણાટકમાં પોર્ટફોલિયો પર સંમતિ, જેડીએસને નાણા તો કોંગ્રેસને ગૃહ મંત્રાલય
હાલમાં મળી રહેલા સમાચારો અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં મંત્રાલયો પર સંમતિ બની ગઈ છે.
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારમાં વિભાગોની વહેંચણી પર હજુ સુધી સંમતિ બની શકી નહોતી. હાલમાં મળી રહેલા સમાચારો અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં મંત્રાલયો પર સંમતિ બની ગઈ છે. સમાચારની માનીએ તો જેડીએસ પાસે નાણા મંત્રાલય રહેશે જ્યારે કોંગ્રેસને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યુ છે. મંત્રાલયોની વહેંચણણી અંગે પેદા થયેલા મતભેદોના કારણે હજુ સુધી કેબિનેટની રચના થઈ નથી. કોંગ્રેસ અને જેડીએસના નેતાઓમાં છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.

મુખ્યમંત્રી કુમારસ્વામી ખેડૂતોની લોન માફ કરવાના પોતાના ચૂંટણી વચનને પૂરુ કરવા માટે નાણા મંત્રાલયને પોતાની પાસે રાખવા ઈચ્છે છે. વળી, કોંગ્રેસનો તર્ક છે કે ગઠબંધનની સરકારમાં હંમેશા નાણા મંત્રાલય ઉપમુખ્યમંત્રી પાસે જ રહ્યુ છે. સૂત્રો મુજબ કોંગ્રેસ નાણા મંત્રાલય જેડીએસના ખાતામાં આપવા માટે રાજી થઈ ગઈ છે. કોંગ્રેસને નાણા મંત્રાલયના બદલામાં ગૃહ મંત્રાલય, ભારે ઉદ્યોગ, ઉર્જા, આઈટી/બીટી, પર્યટન અને શિક્ષણ મંત્રાલય મળ્યુ છે જ્યારે જેડીએસને પીડબ્લ્યુડી, રેવન્યુ અને કૉપરેટીવ અફેર્સ મંત્રાલય પણ આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં 34 સંભવિત મંત્રીસ્તરીય પદોમાંથી કોંગ્રેસને 22 મળશે જેમાં ઉપમુખ્યમંત્રી પરમેશ્વરનું નામ પણ શામેલ છે. જેમણે પહેલા જ શપથ ગ્રહણ કરી લીધા છે. જ્યારે જેડીએસને 12 મંત્રાલય મળવાની આશા છે. સમાચાર મુજબ એક કોંગ્રેસ નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યુ કે આ પ્રકારની સ્થિતિ માટે પક્ષ તૈયાર નહોતુ અને એટલા માટે જ કેબિનેટની રચના કરવામાં વાર લાગી રહી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
