Karnataka Election : બીજેપીને ઝટકો આપવાની તૈયારીમાં જગદીશ શેટ્ટાર, પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપી ચૂંટ
જેમ જેમ કર્ણટક વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બીજેપી સ્થિતી બગડી રહી છે. ટિકિટ વહેંચણી બાદ હાલ પાર્ટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે ત્યારે હવે વધુ એક નેતાએ ઝટકો આપતી જાહેરાત કરી છે.
કર્ણાટકમાં ટિકિટ માટે બીજેપી નેતાઓના રાજીનામાં પડી રહ્યા છે ત્યારે હવે પુર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે પાર્ટીને ઝટકો આપતા પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે બીજેપીએ જગદીશ શેટ્ટારની ટિકિટ કાપતા તે પાર્ટીથી નારાજ છે અને પાર્ટી છોડી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

જગદીશ શેટ્ટારે કહ્યું કે, તે પાર્ટી અને વિધાનસભા બન્નેમાંથી રાજીનામું આપશે. જગદીશ શેટ્ટાર કર્ણાટકના મોટા ને્તા છે અને કોંગ્રેસની સરકારમાં નેતા વિપક્ષ હતા. સુત્રો અનુસાર, શેટ્ટાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
જગદીશ શેટ્ટારે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, આ લોકોએ મને પ્રસ્તાવ આપ્યો હતો કે મારા પરિવારના સભ્યો ચૂંટણી લડી શકે છે. મને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. પરંતુ મેં ઓફર નકારી. રાજીનામું આપ્યા પછી હું બધું જ વિગતવાર જણાવીશ.
ભારતીય જનતા પાર્ટીમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કરતા શેટ્ટારે કહ્યું કે, જે રીતે મને શરમમાં મુકવામાં આવ્યો તેનાથી હું દુઃખી છું. મને લાગ્યું કે મારે આ લોકોને પડકારવા જોઈએ. મેં નક્કી કર્યું છે કે હું ચૂંટણી લડીશ.
તેમણે કહ્યું કે, હું સિરસી જઈશ અને વિધાનસભામાંથી રાજીનામું આપીશ. આ સાથે રાજ્યમાં મેં જે પાર્ટી બનાવી છે તેમાંથી પણ હું રાજીનામું આપીશ. મારી સામે એક સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ કાવતરું ઘડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હું જિદ્દી કે જિદ્દી વ્યક્તિ નથી, પરંતુ આ વખતે હું જિદ્દી બન્યો, કારણ કે પાર્ટીએ મને શરમાવ્યો છે. આ લોકો સમજી શક્યા નથી કે હું તેમને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ પહેલા શેટ્ટાર સીએમ બોમ્માઈ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી. શેટ્ટારે કહ્યું કે, હું હંમેશા કહેતો હતો કે હું આ ચૂંટણી લડીશ, આજે હું દુઃખી છું, તેથી હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપું છું. હું ભારે હૈયે સ્પીકરને મળીશ, પાર્ટી પણ છોડી દઈશ. પરંતુ ચૂંટણી લડીશ.












Click it and Unblock the Notifications
