Karnataka Election : વિજયપુરા સીટ પર કોંગ્રેસને મોટો ફાયદો, જેડીએસ ઉમેદવારનું કોંગ્રેસને સમર્થન
કર્ણાટકના ચૂંટણી મેદાનમાંથી કોગ્રેસ માટે સારા સમાચાર આવ્યા છે. સત્તાધારી બીજેપીને મજબુત ટક્કર આપી રહેલી કોંગ્રેસને વિજયપુરા સીટ પર ચૂંટણી પહેલા જ મોટો ફાયદો થયો છે. અહેવાલો અનુસાર, અહીંના જેડીએસ ઉમેદવારે કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, કર્ણાટકના વિજયપુરાથી જેડીએસના ઉમેદવાર બી એચ મહાબારીએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે તે ચૂંટણીમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. આ સિવાય તેમણે કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ હમીદ મુશરફને સમર્થન આપ્યું છે.

આ પગલાને લઈને કારણ આપતા ઉમેદવાર બંધનવાઝ મહાબારીએ કારણ તરીકે પાયાના પક્ષના કાર્યકરો અને સંગઠનના અભાવને ગણાવ્યો. હવે તે આ ચૂંટણીમાં જોર નહીં લગાવે, તેમના આ પગલાથી કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે.
મીડિયા સાથે વાત કરતા મહાબારીએ ચૂંટણી ન લડવાના નિર્ણયની જાહેરાત કરતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે અને ખરાબ રીતે હારવા કરતાં નિવૃત્તિ લેવી વધુ સારી રહેશે. આમ વિચારીને તેમણે મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ મહાબારીએ 3-4 દિવસ મતવિસ્તારમાં પ્રચાર પણ કર્યો. તેમણે કહ્યું કે તેમને બીજાપુર સિટી મતવિસ્તારમાં જેડીએસ માટે કોઈ સમર્થન મળ્યું નથી. મારા માટે હારવા કરતાં સ્પર્ધામાંથી નિવૃત્તિ જાહેર કરવી વધુ સારી રહેશે.
ઉમેદવાર મહાબારીએ કહ્યું કે, તે 40 વર્ષથી જેડીએસ પરિવાર સાથે છે અને 2008માં ચૂંટણી લડ્યા પરંતુ ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા હતા. તેમણે મતવિસ્તારમાં જેડીએસને બરબાદ કરવા બદલ ધારાસભ્ય બાસબગૌડા પાટીલ યતનાલને દોષી ઠેરવ્યા. અહીં તેમને કોઈપણ દબાણનો ઇનકાર કર્યો અને કહ્યું હતું કે તેમણે પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો છે.
અહીં તેમને પાર્ટી પર પણ સવાલ કર્યા અને કહ્યુ કે, મારા નિર્ણયથી પાર્ટી અને હાઈકમાન્ડ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ છે. હું પાર્ટીના નેતાઓ એચડી દેવગૌડા અને એચડી કુમારસ્વામીને મારા નિર્ણય વિશે સમજાવીશ.












Click it and Unblock the Notifications
