Karnataka Election : કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી કાંટાળી છે, માત્ર બે મુખ્યમંત્રી 5 વર્ષ પુરા કરી શક્યા છે
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે બીજેપીએ પુરી તાકાત લગાવી દીધી છે. બીજેપી અહીં પોતાની સત્તા બચાવવા માંગે છે અને કર્ણાટકમાં ચાલી આવતી પરંપરાને તોડીને ઇતિહાસ રચવા માંગે છે. જો કે કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી કાંટાળી છે. અહીં માત્ર બે મુખ્યમંત્રી કાર્યકાળ પુરો કરી શક્યા છે.
બીજેપી માટે કર્ણાટક એક મહત્વનું રાજ્ય છે. બીજેપી માટે રાષ્ટ્રીય રાજનીતિમાં રહેવા આ રાજ્ય ખુબ જ મહત્વપૂર્ણ છે. બીજેપી અંહી ફતેહ કરીને તેલંગાણા અને અન્ય રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરવાની યોજના આગળ વધારવા માંગે છે.

દક્ષિણ ભારતમાં કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જ્યાં બીજેપીન સરકાર છે. જો બીજેપી હારે તો દક્ષિણ ભારત બીજેપી મુક્ત બની જશે. આ જ કારણ છે કે બીજેપી કોઈપણ સંજોગોમાં અહીં જીતવા માંગે છે. હવે પીએમ મોદીએ ખુદ મોરચો સંભાળ્યો છે.
કર્ણાટકમાં છેલ્લા 50 વર્ષના ઈતિહાસની વાત કરીએ તો માત્ર બે મુખ્યમંત્રી જ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે. 2013 અને 2018 વચ્ચે કોંગ્રેસના સિદ્ધારમૈયાએ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.
સિદ્ધારમૈયા પહેલા દેવરાજ અર્સે 1972 થી 77ની વચ્ચે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. 1977 પછી 35 વર્ષ સુધી કોઈ પણ મુખ્યમંત્રી પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
ત્યાંથી આગળ 1992 થી 2022 વચ્ચે કર્ણાટકમાં 15 મુખ્યમંત્રી જોવા મળ્યા. જેમાં કુમારસ્વામી બે વખત અને બીએસ યેદિયુરપ્પા ચાર વખત મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં 15 મુખ્યમંત્રીઓનો કાર્યકાળ જોવા મળ્યો. અહીં 30 વર્ષમાં સતત રાજકીય અસ્થિરતા જોવા મળી છે.
બીજી તરફ બીજેપીની વાત કરીએ તો અહીં 20 વર્ષમાં પાર્ટીને 7 મુખ્યમંત્રી મળ્યા. જેમાં બીએસ યેદિયુરપ્પા ચાર વખત મુખ્યમંત્રી બન્યા. સૌથી મોટી વાત એ છે કે, યેદિયુરપ્પા 4 વખત મુખ્યમંત્રી બન્યા અને 5 વર્ષ 80 દિવસ મુખ્યમંત્રી રહ્યા.
આ દરમિયાન યેદિયુરપ્પા એક વખત 7 દિવસ, એક વખચ 6 દિવસ અને અને અન્ય એક કાર્યકાળમાં 3 વર્ષ અને 67 દિવસ મુખ્યમંત્રી રહ્યા. આ સિવાય તેનો છેલ્લો કાર્યકાળ 26 જુલાઈ 2019 થી 28 જુલાઈ 2021 સુધીનો હતો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
