Karnataka Election Results 2023 : પહેલી કેબીનેટમાં પૂરા થશે તમામ ચૂંટણી વચનો, રાહુલ ગાંધીએ કરી જાહેરાત
Karnataka Election Results 2023 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી પ્રચંડ બહુમતિથી વિજય અપાવવા બદલો જાહેર જનતાનો આભાર માન્યો હતો. આ સાથે કર્ણાટકના કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓ સહિત કોંગ્રેસ માટે કામ કરનારા તમામ લોકોનો પણ આભાર માન્યો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં પ્રેમની જીત થઈ છે અને નફરતની હાર થઈ છે. કર્ણાટકમાં ગરીબોની જીત થઈ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે અને પ્રેમની દુકાન ખુલી છે. હું કર્ણાટકની જનતાનો આભાર માનું છું. રાહુ ગાંધીએ કર્ણાટકની જનતાને પાંચ ગેરંટીના વચનને પૂર્ણ કરવા કહ્યું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ગરીબોની સાથે ઉભી છે. અમે નફરત અને ખોટા સામે લડ્યા નથી. અમે આ લડાઈ પ્રેમથી લડી હતી. તેમના કહેવા પ્રમાણે, કર્ણાટકના લોકોએ બતાવ્યું છે કે, આ દેશ પ્રેમને ચાહે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે અને પ્રેમની દુકાનો ખુલી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક અવસરો પર જણાવ્યું હતું કે, હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જનતાને આપેલા પાંચ મોટા વચનો કર્ણાટક સરકાર બનતાની સાથે જ તેમના પર કામ શરૂ થઈ જશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની જીત જનતાની જીત છે. જનતાએ ભ્રષ્ટ સરકારને હરાવી છે. આપણે આગળ ઘણું કરવાનું છે. અમારે અમારા વચનો પૂરા કરવાના છે, અમે અમારી 5 ગેરંટી પૂરી કરીશું.
બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, ભાજપ માટે જીત અને હાર કોઈ મોટી વાત નથી. 2 બેઠકોથી શરૂ થયેલી ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કામદારોએ દુઃખી થવાની જરૂર નથી. અમે અમારી હાર પર પુનર્વિચાર કરીશું. અમે લોકોના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને અમને મત આપવા બદલ અમે લોકોનો આભાર માનીએ છીએ.












Click it and Unblock the Notifications
