Karnataka Election Results 2023 (કર્ણાટક ચૂંટણી પરિણામ 2023) LIVE: હાઈકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવશે, CM કોણ?

Karnataka Election Result 2023 LIVE Updates : કર્ણાટકમાં કોંગ્રેસે 135 બેઠકો જીતીને સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે, જ્યારે ભાજપને માત્ર 66 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે, જ્યારે જેડીએસને માત્ર 19 બેઠકો મળી છે.

હારને નમ્રતાથી સ્વીકારીને ભાજપે જણાવ્યું હતું કે, તે કર્ણાટકની જનતાનો આભાર માને છે અને તે તેની ખામીઓનું વિશ્લેષણ કરશે કે, ક્યાં ખામીઓ રહે છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ છે. આ જીતનો શ્રેય કર્ણાટકની જનતા અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપતાં તેમણે જણાવ્યું છે કે, આજે ભાજપ મુક્ત દક્ષિણ બની ગયું છે અને જનતાએ નફરતને બદલે પ્રેમ પસંદ કર્યો છે.

હાલમાં, ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ, બધાની નજર હવે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે તેના પર છે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રેસમાં છે. હાલમાં અમે આ મોટા સમાચાર પર નજર રાખી રહ્યા છીએ. વધું અપડેટ્સ માટે પેજને રિફ્રેશ કરતા રહો.

Karnataka Election

9:45 PM, 14 May

કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક પુરી, મલ્લિકાર્જુન ખડગે નવા મુખ્યમંત્રીનો નિર્ણય કરશે

9:13 PM, 14 May

કોંગ્રેસના નવા મુખ્યમંત્રીની પસંદગી મલ્લિકાર્જુન ખડગે કરશે. સિંગલ લાઈન ઠરાવ પસાર કરીને તેમના પર નિર્ણય છોડાયો

8:32 PM, 14 May

બેંગ્લોરમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બેઠક માટે પહોંચ્યા

6:28 PM, 14 May

બેંગ્લોર : કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકો તેમના ઘરની બહાર એકઠા થયા. સમર્થકોએ 'વી વોન્ટ ડીકે' ના નારા લગાવ્યા હતા.

'વી વોન્ટ ડીકે' ના નારા

Huge number of supporters gathers outside the residence of Karnataka Congress president DK Shivakumar in Bengaluru and raise slogans of 'We want DK Shivakumar as CM' pic.twitter.com/wk5u74UWD9

— ANI (@ANI) May 14, 2023
6:27 PM, 14 May

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બેંગ્લોરમાં તેમના નિવાસસ્થાને સમર્થકો દ્વારા જોરદાર સ્વાગત કરવા પહોંચ્યા.

ડીકે શિવકુમારના ઘરે સ્વાગત કરાયું

Karnataka Congress president DK Shivakumar reaches his residence in Bengaluru. pic.twitter.com/ROK4hJuLFH

— ANI (@ANI) May 14, 2023
6:27 PM, 14 May

દિલ્હી: કર્ણાટકના સીએમના નિર્ણય પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક આજે યોજાશે અને હાઈકમાન્ડને રિપોર્ટ સોંપશે, ત્યારબાદ હાઈકમાન્ડ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં સમય લેશે.

હાઈકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવશે, જે બાદ સીએમનો નિર્ણય લેવામાં આવશે

Delhi: CLP meeting will be held today and will hand over the report to the high command after which the high command will take its time to declare the name of the CM: Congress president Mallikarjun Kharge pic.twitter.com/aN73izKr8G

— ANI (@ANI) May 14, 2023
5:33 PM, 14 May

તમામ 5 વચનોનો અમલ કરશે - ખરગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે, કેબિનેટની રચના કર્યા બાદ અમે અમારા ઘોષણાપત્રમાં જનતાને આપેલા તમામ 5 વચનોને અમલમાં મૂકીશું.

5:33 PM, 14 May

લોકોએ ભાજપને આપ્યો જાકારો

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ખરગેએ જણાવ્યું હતું કે, કર્ણાટકની જનતાએ ભાજપને નકારીને કોંગ્રેસ પાર્ટીને ફરી સત્તામાં લાવી છે. લોકોએ અમને રેકોર્ડ સંખ્યામાં મત આપ્યા છે.

5:32 PM, 14 May

દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના સમર્થકો તેમના સ્વાગત માટે તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા

સમર્થકોનો મેળાવડો

Delhi: Huge number of supporters gathered outside the residence of Congress president Mallikarjun Kharge to welcome him. pic.twitter.com/odICqk8dyS

— ANI (@ANI) May 14, 2023
5:29 PM, 14 May

ખરગે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા.

4:57 PM, 14 May

કર્ણાટકના મુખ્યમંત્રી અંગે ખરગેનું નિવેદન

કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગી પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે, અમારા સમીક્ષકો બેંગ્લોર ગયા છે, તેઓ સાંજે ત્યાં પહોંચી જશે. આ પછી કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક થશે. બેઠક બાદ હાઈકમાન્ડ નિર્ણય લેશે.

3:56 PM, 14 May

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. કર્ણાટકના લોકોએ કોંગ્રેસ પક્ષને મત આપ્યો છે અને મને આશા છે કે, તેઓ તેમના વચનો પૂરા કરશે. અમે સખત મહેનત કરીશું અને વધુ સારું પ્રદર્શન કરીશું

કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા

The results of the Karnataka elections have been announced. The people of Karnataka have voted for the Congress party and I hope they fulfil their promises. We will work harder and perform better: AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/yvcmFLnL5z

— ANI (@ANI) May 14, 2023
3:53 PM, 14 May

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, બજરંગ દળ અલગ છે અને બજરંગ બલી અલગ છે. બજરંગ દળ નફરત અને હિંસાની રાજનીતિ ફેલાવવામાં માને છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં જણાવ્યું હતું કે, જે પણ સંગઠન કાયદાનો ભંગ કરશે, ધાર્મિક નફરત ફેલાવશે, ધાર્મિક કટ્ટરતા, સાંપ્રદાયિક હિંસા ફેલાવશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

2:56 PM, 14 May

ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, મારા સિદ્ધારમૈયા સાથે મતભેદ છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે અને સિદ્ધારમૈયા જીની પડખે ઉભો રહ્યો છું. મેં સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું છે.

2:12 PM, 14 May

હું રાજસ્થાનમાં આ જ માંગ કરી રહ્યો છું - કોંગ્રેસ નેતા સચિન પાયલોટ

કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે, લોકોએ કર્ણાટકમાં ભાજપ સરકાર પર 40 ટકા ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાવ્યો હતો, તે આરોપને લોકોએ સ્વીકાર્યો, તેથી જ લોકોએ કોંગ્રેસને જંગી બહુમતી આપી છે. હવે અમે સરકાર બનાવી રહ્યા છીએ, અમારે પગલાં લેવા પડશે. હું રાજસ્થાનમાં આ જ માંગ કરી રહ્યો છું અને છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છું.

2:11 PM, 14 May

અમે લોકસભામાં પાછા ફરીશું: બસવરાજ બોમાઈ

મેં પાર્ટી અધ્યક્ષ સાથે અનૌપચારિક મુલાકાત કરી અને અમે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની મીટિંગ બોલાવીશું અને સંપૂર્ણ વિશ્લેષણ કરીશું. અમે લોકસભામાં પાછા ફરીશું: બસવરાજ બોમાઈ

2:10 PM, 14 May

અમે ક્યારેય હિંદુત્વ પર લડ્યા નથી - સાવરાજ બોમાઈ

મીડિયા સાથે વાત કરતા સાવરાજ બોમાઈએ કહ્યું કે હારના 4-5 કારણો હોઈ શકે છે, જેના માટે અમારે ગ્રાઉન્ડ લેવલ પર જઈને જોવું પડશે અને અમે અત્યારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકતા નથી. અમે આના પર વિશ્લેષણ કરીશું. આ વાત કેટલાક લોકોના મનમાં છે, પરંતુ અમે ક્યારેય હિંદુત્વ પર લડ્યા નથી, બલ્કે અમે ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યો પર લડ્યા છીએ. કોંગ્રેસના ઢંઢેરામાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

2:09 PM, 14 May

અમને બજરંગ બલિના આશીર્વાદ મળ્યા છેઃ ભૂપેશ બઘેલ

બજરંગ બલી હંમેશા ધર્મ સાથે છે અને બજરંગ બલી હંમેશા અન્યાયી અને અત્યાચારીઓને હરાવતા આવ્યા છે, આવું કર્ણાટકમાં થયું છે અને ભવિષ્યમાં પણ થવાનું છે. બજરંગ બલી ભાજપ સાથે નથી, અમને બજરંગ બલિના આશીર્વાદ મળ્યા છેઃ ભૂપેશ બઘેલ

2:08 PM, 14 May

મોદીજીએ જવાબદારી લેવી જોઈએ હારની જવાબદારી - છત્તીસગઢના મુખ્યમંત્રી

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, તેમણે (બસવરાજ બોમાઈ) આખી ચૂંટણી મોદીજીના ચહેરા પર લડી અને હવે હારની જવાબદારી પોતાના માથે લઈ રહ્યા છે. હાર્યા પછી તેમણે સાચું બોલવું જોઈએ, મોદીજીએ જવાબદારી લેવી જોઈએ.

1:13 PM, 14 May

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચકે પાટીલ - ઘણા નાયબ મુખ્યમંત્રીઓની શક્યતા

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચકે પાટીલે બેંગ્લોરમાં મીડિયા સાથે વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'અમારો હાઈ-કમાન્ડ મુખ્યપ્રધાન હશે. ખબર નથી પણ મીડિયા દ્વારા જે સમાચારો આવી રહ્યા છે, તેના પરથી ખબર પડી રહી છે કે, ઘણા નાયબ મુખ્યમંત્રીઓની શક્યતા છે. મલ્લિકાર્જુન ખરગે એ છે, જે સીએમ બનાવવાળા લોકોમાંથી છે, સીએમ બનવાવાળામાંથી નહીં.

12:37 PM, 14 May

કર્ણાટકની જીત પર કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અને ભાઈ જગતાપે કોંગ્રેસના કાર્યકરો સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.

Congress leaders Bhai Jagtap, Sanjay Nirupam and other party workers recite 'Hanuman Chalisa' at a temple in Mumbai following the party's victory in #KarnatakaPolls pic.twitter.com/7t7jYoyzNA

— ANI (@ANI) May 14, 2023
12:36 PM, 14 May

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સાથે મુલાકાત પર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચ. કે. પાટીલે જણાવ્યું હતું કે, તેઓ અમારી પાર્ટીને 135ના આંકડા પર લઈ ગયા, તેથી અમે બધાએ મળીને તેમને અભિનંદન આપ્યા અને તેમણે અમને અભિનંદન આપ્યા હતા. અમારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદને લઈને કોઈપણ રીતે કોઈ ચર્ચા થઈ નથી.

11:55 AM, 14 May

બેંગલોર : કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને અન્ય નવા ચૂંટાયેલા ધારાસભ્યો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવાસસ્થાને પહોંચ્યા.

10:55 AM, 14 May

કર્ણાટકના પરિણામ પર સંજય રાઉતે જણાવ્યું હતું કે, કર્ણાટક એક ઝાંખી છે, હવે આખું ભારત બાકી છે. કર્ણાટક એ બતાવ્યું છે કે, લોકો સરમુખત્યારશાહીને હરાવી શકે છે. કોંગ્રેસ જીતી ગઈ જેનો મતલબ બજરંગ બલી કોંગ્રેસ સાથે હતા. આપણા ગૃહમંત્રી (અમિત શાહ) કહેતા હતા કે, જો ભાજપ હારી જશે, તો રમખાણો થશે. કર્ણાટક શાંત અને ખુશ છે. રમખાણો ક્યાં છે?

10:12 AM, 14 May

ડીકે શિવકુમારના ઘરની બહાર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેમાં તેમને સીએમ બનાવવાની માંગ કરવામાં આવી હતી.

Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy

— ANI (@ANI) May 14, 2023
10:12 AM, 14 May

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગ્લોરમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં તેમને 'કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન' તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs

— ANI (@ANI) May 14, 2023
10:11 AM, 14 May

કોંગ્રેસના નેતા કેએચ મુનિયપ્પાએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસ નેતૃત્વ સારું કામ કરશે. કોંગ્રેસે અગાઉ પણ જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતા, ત્યારે સારું કામ કર્યું હતું. કોંગ્રેસમાં વિશ્વાસ દર્શાવવા બદલ હું જનતાનો આભાર માનું છું અને અમે તેમના વિકાસ માટે કામ કરીશું.

9:17 AM, 14 May

કોંગ્રેસે અગાઉ જયનગર બેઠક જીતી હતી, પરંતુ પુનઃ ગણતરીમાં ભાજપનો વિજય થયો હતો.

9:16 AM, 14 May

જયનગર વિધાનસભા બેઠક પર ભાજપના સીકે​રામામૂર્તિએ કોંગ્રેસના સૌમ્યા રેડ્ડીને 16 મતથી હરાવ્યા હતા. જે બાદ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદર્શન કર્યું અને ભાજપ પર સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

9:15 AM, 14 May

કર્ણાટકમાં કોંગ્રેસ હવે નવા મુખ્યમંત્રીની શોધમાં છે, જોકે મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે, માત્ર સોનિયા ગાંધી જ નિર્ણય લેશે.

READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X