કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસને મદદ કરવા બદલ ભાજપે યેદુરપ્પાને ઝાટક્યા

કોંગ્રેસને મળી રહેલી સફળતાને જોતા જ બી એસ યેદીયુરપ્પાની આગેવાનીવાળી પાર્ટી કર્ણાટક જનતા પક્ષ (કેજેપી)એ જાહેરાત પણ કરી દીધી છે કે રાજ્યમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. જો પરિસ્થિતિની માંગ હશે તો તેઓ કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર છે.
આ અગાઉ ભાજપમાંથી અલગ થયા બાદ યેદીયુરપ્પાએ એવો દાવો કર્યો હતો કે "અહીં મને સ્પષ્ટ બહુમત મળશે. અમે જ સરકાર બનાવીશું. અમે ચૂંટણીમાં એક માત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવીશું."
યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો ઘડાયા બાદ તેમની પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે સંબંધ તોડીને કેજેપીમાં જોડાયા હતા. અત્યારની સ્થિતિ જોતા રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પરિણામો બાદ યેદીયુરપ્પાનું ભાવિ હાલ તો ધુંધળું દેખાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મત ગણતરીના આરંભથી જ કોંગ્રેસ આગળ રહ્યું છે. ભાજપની સરખામણીમાં તેણે બમણી બેઠકો પણ લીડ મેળવી લીધી છે. કોંગ્રેસાના 6 ઉમેદવારોએ જીત પણ મેળવી લીધી છે.












Click it and Unblock the Notifications
