Karnataka Result : કર્ણાટકની જીત મુદ્દે કોંગ્રેસ નેતા સુખજિંદર સિંહ રંધાવા, કહ્યું- રાજસ્થાનમાં પણ આવુ જ થશે
કર્ણાટકમાં કોંગ્રેસની ધમાકેદાર જીત બાદ હવે દેશમાં 2024ની ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ છે. મોદી મેજીકની હવા નીકળી ગઈ છે ત્યારે હવે વિપક્ષી નેતાઓ લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવાની વાતો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ હવે બીજેપીને રાજસ્થાનમાંથી હરાવવાની વાત કરી છે.
કર્ણાટકમાં કોંગ્રેસના પક્ષમાં આવેલા પરિણામો બાદ રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ એક નિવેદનમાં કહ્યું કે, અમારી વચ્ચે મતભેદો છે અને તે ન થવા જોઈએ. રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા મતભેદો ટૂંક સમયમાં જ મજબુત રીતે ઉકેલાઈ જશે. અમે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં એક થઈને લડ્યા.

તેમણે આગળ કહ્યું કે, અમે રાજસ્થાનમાં પણ આવું જ કરીશું. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હાલ સચિન પાયલટે પોતાની જ સરકાર સામે ભ્રષ્ટાચાર સામે મોરચો ખોલતા એક દિવસના ઉપવાસ પર ઉતર્યા હતા. સચિન પાયલટ હાલમાં ભ્રષ્ટાચાર અને પેપર લીકને લઈને જાહેર સંઘર્ષ યાત્રા પર છે.
રાજસ્થાનમાં હાલ પૂર્વ મુખ્યમંત્રી સચિન પાયલટ પેપર લીક અને ભ્રષ્ટાચારને લઈને અજમેર અને જયપુર વચ્ચે જન સંઘર્ષ યાત્રા કરી રહ્યા છે. સચિન પાયલોટે આજે સવારે જયપુર જિલ્લાના દુદુથી આ યાત્રા શરૂ કરી હતી. આ મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસને આ મુલાકાત સાથે કોઈ લેવાદેવા નથી. આ મામલે સુખજિંદર સિંહ રંધાવાએ ગઈ કાલે કહ્યું હતું કે આ યાત્રા કોંગ્રેસની નથી. તે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રિપોર્ટ સોંપશે.












Click it and Unblock the Notifications
