Karnataka Result : ડીકે શિવકુમારની 90 હજારથી વધુ મતોથી જીત, જાણો કોણ હશે મુખ્યમંત્રી?
કર્ણાટકમાં ધીરે ધીરે પરિસ્થિતી સાફ થઈ રહી છે. કોંગ્રેસના ધમાકેદાર પર્ફોમન્સ વચ્ચે બીજેપીના મોટા નેતાઓના ગરબા ઘરે આવી રહ્યા છે. આ ક્રમમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે બીજેપીના મોટા નેતા અને મંત્રી આર અશોકને મોટા અંતરે હરાવીને મોટી જીત મેળવી છે.
ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસના હીરો સાબિત થયા છે. કનકપુરા સીટ પરથી ડીકે શિવકુમાર સાથે બીજેપી તરફથી મહેસૂલ મંત્રી આર અશોક અને જેડીએસ તરફથી બી નાગારાજૂ મેદાનમાં હતા. ડીકે શિવકુમારે આ બન્નેને મોટી હાર આપતા 90 હજારથી વધુ મતો સાથે જીત મેળવી છે.

કનકપુરા સીટ પર ડીકે શિવકુમારની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચાએ જોર પકડ્યુ છે. શિવકુમારના સમર્થકો માની રહ્યા છે કે તેમના નેતાએ કોંગ્રેસને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના યોગદાન માટે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે.
ડીકે શિવકુમાર કનકપુરા સીટ પરથી 90 હજાર વોટથી જીત્યા છે. શિવકુમારના સમર્થકો કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે માંગ કરી રહ્યા છે કે તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે. અહીં તમને જણાવી દઈએ કે, ડીકે શિવકુમારે પરિણામ પહેલા જ 141 સીટો જીતવાનો દાવો કર્યો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં સરકાર બનાવવા માટે પાર્ટીએ 113 સીટોની જરૂર પડે છે. અહીં કોંગ્રેસે 135 થી વધુ સીટો જીતવાની સંભાવના સાથે બીજેપીને મોટી હાર આપી છે. અહીં બીજેપી 65 સીટો આસપાસ જીતી રહી છે તો જેડીએસના ખાતામાં 19 આસપાસ સીટો જઈ રહી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
