For Daily Alerts
'શ્રીલંકા મુદ્દે કરુણાનિધિ સાથે કરાશે ચર્ચા'
કમલનાથે પત્રકારોને કહ્યું, 'ત્રણ વરિષ્ઠ મંત્રી તેમની સાથે મુલાકાત કરી યુએન ઠરાવ પર ચર્ચા કરશે. ત્યાર બાદ જ સરકાર આ સંબંધમાં કોઇ નિર્ણય લેશે.' કરુણાનિધિએ રવિવારે કહ્યું હતું કે જો યુપીએ સરકાર યુએનએચઆરસીમાં શ્રીલંકા વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અમેરિકન પ્રસ્તાવને વધુ કડક બનાવવા માટે તેમા કોઇ સંશોધન નહીં કરે તો તે કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ થઇ જશે.
કરુણાનિધિએ તમિલો વિરુદ્ધ 'યુદ્ધ અપરાધ' કરવામાં આવ્યા હોવાના આરોપોની તપાસની પણ માંગ કરી હતી. વર્ષ 2009માં લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ(લિટ્ટે) સાથે યુદ્ધના અંતિમ દિવસે મોટી સંખ્યામાં તમિલ નાગરિકો માર્યા ગયા હોવાને લઇને શ્રીલંકા આરોપોના ઘેરામાં છે. લોકસભામાં ડીએમકેના 18 સાંસદ છે.
Comments
English summary
Three senior ministers will hold talks with DMK chief M Karunanidhi, and any decision on voting on a resolution at the UN Human Rights Council on Sri Lanka will be taken after talking to allies, Parliamentary Affairs Minister Kamal Nath said.
Story first published: Monday, March 18, 2013, 17:57 [IST]