Kedarnath Yatra 2023: દરરોજ આટલા લોકો કરી શકશે બાબા કેદારનાથના દર્શન, જાણો આ વખતે કેવી છે તૈયારી
Kedarnath Yatra 2023: ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર કેદારનાથ મંદીરની વાર્ષિક યાત્રા 25 એપ્રિલથી શરુ થવાની છે. અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે, દરરોજ અંદાજે 13000 યાત્રીઓ કેદારનાથની યાત્રા કરી શકે છે. રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયુર દીક્ષિતે મંગળવારે જણાવ્યુ હતુ કે, સરકારે અત્યારે કેદારનાથ યાત્રા માટે 13000 તીર્થ યાત્રીઓની દૈનિક સંખ્યાા નિર્ધારીત કરી છે. અને તીર્થ યાત્રીઓની સુવિધા માટે એક ટોકન પ્રણાલી પણ શરુ કરવામાં આવી છે. દીક્ષિત અને રુ્દ્રપ્રયાગના પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભડાને જણાવ્યુ હતુ કે, આગામી યાત્રીની સમીક્ષા કરવામાં આવી છે.

દિક્ષિતે કહ્યુ કે, મંદિરમાં આવનાર યાત્રીઓની દૈનિક સંખ્યાને સમિત કરવા માટે ટોકન સિસ્ટમની શરુઆત કરવામાં આવી છે . તીર્થયાત્રીઓને આ અંગે યાત્રા માર્ગ પર 22 આરોગ્ય અન એટલી જ સંખ્યામાં ફર્માસિસ્ટની સુવિધા આપવામાં આવશે. દિક્ષિતે કહ્યુ કે, જેમા ત્રણ ડોક્ટર અને બે ઓર્થોપેડિક સર્જન હશે. યાત્રીના માર્ગમાં બાર આરોગ્ય સહાયતા કેન્દ્રો પણ બનાવામા આવશે.
કેદારનાથ યાત્રા દરમિયાન યાત્રીઓની સુવિધાનુ ખાસ ધ્યાન રખાવામાં આવશે. આના માટે પહેલાથી તૈયારી કરી લેવામાં આવી છે. યાત્રીઓની સંખ્યાના હિસાબથી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તૈયારીને અંતિમ રુપ આપી દેવામાં આવ્યુ છે. આ વખતે હૈલી એબુલન્સની પણ વ્યવસ્થા રહેશે. જગ્યાએ જગ્યાએ આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રામાં રેકોર્ડ સંક્યામાં શ્રદ્ધાલુઓ પહોચવાની આશા છે. યાત્રા શરુ થવામાં એક સપ્તાહનો જ સમય બાકી રહ્યો છે. પુનર્નિમાણ કાર્યમા પણ ઝડપ આવી છે. અત્યાર સુધીમાં કૈદારનાથ ધામ માટે 5 લાખથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કર્યુ છે.












Click it and Unblock the Notifications
