For Quick Alerts
For Daily Alerts
બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા ભગવાન કેદારનાથ ધામના કપાટ, જુઓ Video
બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા ભગવાન કેદારનાથ ધામના કપાટ, જુઓ Video
રુદ્રપ્રયાગઃ શીતકાળ પ્રવાસ બાદ આજે શુભ લગ્ન અને બ્રહ્મબેલામાં સવારે ઠીક 5 વાગીને 35 મિનિટ પર સામાન્ય ભક્તો માટે કેદારનાથના કપાટ ખોલી મૂકવામાં આવ્યા છે, આજે 5000થી વધુ ભક્તગણ કેદારનાથના દર્શન કરશે. બાબા કેદારની ઉત્સવ ડોળીને મુખ્ય પુજારી કેદાર લિંગ દ્વારા ભોગ લગાવવાની સાથે જ નિત પૂજાઓ કરવામાં આવી અને તે બાદ કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠિયોં, પુજારિયો, હક્ક હકૂકધારિયોની હાજરીમાં મંદિરના કપાટ ખોલી ડોલીને અંદર પ્રદેશ કરાવવામાં આવ્યો, જે બાદ મંદિરની અંદર પૂજા અર્ચના કરવામાં આવી અને તેના મુખ્ય કપાટ ભક્તોના દર્શન માટે ખોલી મુકવામાં આવ્યા છે.
કેદારનાથની
કેટલીક
ખાસ
વાતો
- 8મી શતાબ્દીના ભગવાન શિવનું આ મંદિર સમુદ્ર તળથી 3581 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.
- આ મંદિર હિમપાતના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ થઈ જાય છે અને એપ્રિલ-મે મહિનામાં ફરી ખોલવામાં આવે છે.
- આ પણ વાંચો- ગંગા ન નાવ તો ચાલશે, મોહિની એકાદશી વ્રત પણ કરે છે પાપોનો નાશ
- મંદાકિની નદીના શીર્ષ પર શોભાયમાન ગઢવાલ હિમાલયની વચ્ચે આ મંદિર સ્થિત છે.
- દેશના 12 જ્યોતિર્લિંગોમાં સામેલ કેદારનાથ ધામની પ્રસિદ્ધિ 5મા જ્યોતિર્લિંગના રૂપમાં છે.
- અહ્યાંની શિવલિંગને સ્વયંભૂ માનવામાં આવે છે. પથ્થરોથીબનેલ કત્યૂરી શૈલીથી બનેલ આ મંદિર વિશે કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જનમેજયે કરાવ્યું હતું.
- આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
- કેદારનાથના સંબંધમાં લખ્યું છે કે જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે, તેની યાત્રા નિષ્ફળ જાય છે.
- કેદારનાથ સહિત નર-નારાયણ મૂર્તિના દર્શનનું ફળ સમસ્ત પાપોને નાશ પૂર્વક જીવન મુક્તિની પ્રાપ્તિ બતાડવામાં આવી છે.
- આ મંદિરના આયુષ્ય વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી, પરંતુ એક હજાર વર્ષોથી કેદારનાથ એક મહત્વપૂર્ણ તીર્થળ રહ્યું છે.
અહીં જુઓ વીડિયો
#WATCH Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/FN39K3LXFL
— ANI (@ANI) May 9, 2019
Comments
English summary
kedarnath temple opened for pilgrims after 6 month
Story first published: Thursday, May 9, 2019, 11:11 [IST]