'2024માં મોદીને હરાવી દઇશુ' વટહુકમ સામે કેજરીવાલને મળ્યું કેસીઆરનું સમર્થન
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો આમ આદમી પાર્ટી (AAP) સતત વિરોધ કરી રહી છે. આ શ્રેણીમાં, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન શનિવારે રાજ્યસભામાં સમર્થન મેળવવા માટે હૈદરાબાદમાં તેલંગાણાના સીએમ કેસીઆરને મળ્યા હતા.
આ દરમિયાન કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે દેશમાં એક એવી પાર્ટી છે જે ઈચ્છે છે કે આખો દેશ તેમના દ્વારા શાસન કરે. આવી સ્થિતિમાં એક વડાપ્રધાન અને 31 ગવર્નરો દેશને ચલાવી શકે તો મુખ્યમંત્રી પસંદ કરવાની શું જરૂર છે.

કેજરીવાલે વધુમાં કહ્યું કે, ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નથી, તેના 238માંથી માત્ર 93 સાંસદો છે. જો લોકશાહી બચાવવા માટે તમામ પક્ષો સાથે આવે તો આ બિલ રાજ્યસભામાં નિષ્ફળ જશે. જો આ બિલ નિષ્ફળ જશે તો દેશને વિશ્વાસ થશે કે 2024માં મોદીને હરાવી શકાય છે. આ 2024ની સેમિફાઇનલ છે.
કેજરીવાલે એમ પણ કહ્યું કે કેસીઆર અને તેમની પાર્ટી બીઆરએસ દિલ્હીના લોકોને ન્યાય અપાવવા તેમની સાથે છે. આ માત્ર દિલ્હીની વાત નથી, લોકશાહી બચાવવાની લડાઈ છે. શીલા દીક્ષિત સરકારનો અમલદારશાહી પર અંકુશ હતો. પરંતુ, 2015માં અમારી સરકાર આવ્યાના 3 મહિનામાં જ અમારી પાસેથી સત્તા છીનવાઈ ગઈ.
હું મુખ્ય પ્રધાન હોવાના કારણે મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ, નાયબ સચિવની બદલી અને પોસ્ટિંગ વિશે કંઈ કરી શકતો નથી. 8 વર્ષની લડાઈ બાદ આવ્યો સુપ્રીમ કોર્ટનો નિર્ણય, લોકોને મળ્યો ન્યાય. જો દેશના વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના નિર્ણયને વટહુકમથી ઉલટાવી દેશે તો આ દેશની જનતા ન્યાય માટે ક્યાં જશે. આ દિલ્હીની જનતાનું અપમાન છે કે તમે જે પણ સરકાર પસંદ કરો, અમે તેને ચાલવા નહીં દઈએ.
आज देश में एक ऐसी पार्टी है जो चाहती है कि पूरे देश पर उनका राज हो
— AAP (@AamAadmiParty) May 27, 2023
ऐसे में मुख्यमंत्री चुनने की क्या ज़रूरत है, प्रधानमंत्री और 31 Governor ही देश को चला लें
BJP के पास Rajya Sabha में Majority नहीं है, 238 में से केवल उनके 93 MPs हैं
अगर सभी पार्टियां लोकतंत्र बचाने के लिए एक… pic.twitter.com/zjp70ZTiep
શું છે વિવાદ?
કેન્દ્ર સરકાર એક વટહુકમ લાવ્યું છે, જેના હેઠળ લેફ્ટનન્ટ ગવર્નરને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર મળશે. આમ આદમી પાર્ટી આ વટહુકમનો સતત વિરોધ કરી રહી છે. તેમનો આરોપ છે કે કેન્દ્ર સરકાર દિલ્હી સરકાર પાસેથી સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં 'ઓર્ડિનન્સ' એ થોડા સમય માટે બનેલો કાયદો છે. આ માટે સરકારે તે સમયે સંસદની પરવાનગી લેવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
