EWS કોટાવાળી સુવિધાઓ છાત્રોને ના આપી તો કેજરીવાલ સરકારે પાછી લઈ લીધી સ્કૂલની માન્યતા

દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે એક ખાનગી શાળાની માન્યતા રદ કરી દીધી છે. જાણો કારણ.

નવી દિલ્લીઃ દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે એક ખાનગી શાળાની માન્યતા રદ કરી દીધી છે. આ શાળા પર આરોપ છે કે તેણે આર્થિક રીતે નબળા વિભાગ એટલે કે EWS ક્વોટા હેઠળ પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને આ શ્રેણી હેઠળના વિદ્યાર્થીઓને મફત સ્ટેશનરી, પુસ્તકો અને ગણવેશ આપ્યા નહોતા તેમ અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સંસ્થા, જેડી ટાઇટલર સ્કૂલને 2022-23 શૈક્ષણિક સત્ર માટે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ ન આપવા અને શાળા કાર્યરત ન થાય ત્યાં સુધી સ્ટાફના પગાર અને લેણાં ચૂકવવા માટે કહેવામાં આવ્યુ છે.

kejriwal

અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન(DOE)નો આ આદેશ 1 એપ્રિલ, 2022થી લાગુ થશે. SC/ST કલ્યાણ સમિતિના અધ્યક્ષ વિશેષ રવિએ જણાવ્યુ હતુ કે, 'તે જાણવા મળ્યુ છે કે શાળાએ EWS ક્વોટા હેઠળ કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હતો અને વિદ્યાર્થીઓને મફત સ્ટેશનરી પણ આપી ન હતી.'

તેમણે કહ્યુ કે, 'શાળામાં અભ્યાસ કરતા બાળકોના હિતોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. શૈક્ષણિક સત્ર 2022-23થી કોઈપણ વર્ગમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને સૂચના આપવામાં આવી છે.' ડીઓઈએ EWS ક્વોટા હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરતી ખાનગી શાળાઓને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. આ અંગે શાળા સત્તાવાળાઓ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X