અધિકારીઓને કેજરીવાલ સરકારનો નિર્દેશ, ઉપરાજ્યપાલ પાસેથી આદેશ લેવો બંધ કરે
દિલ્હી સરકાર અને એલજી વચ્ચે ફરી વિવાદ વકર્યો, એલજી પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો કેજરીવાલ સરકારનો આરોપ.
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વીકે સક્સેના વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. કેજરીવાલ સરકારે હવે નિર્દેશ આપ્યો છે કે અધિકારીઓ ઉપરાજ્યપાલ વીકે સક્સેના પાસેથી સીધો આદેશ લેવો બંધ કરે. આની સાથે જ દિલ્હી સરકાર તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાંજેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ (ટીબીઆર) કડકાઈથી પાલન કરે.

દિલ્હી સરકારના તમામ મંત્રિઓએ પોતાના વિભાગ સચિવોને પત્ર લખી ટ્રાંજેક્શન ઑફ બિઝનેસ રુલ્સનું સખ્તાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સચિવોને એલજી પાસેથી મળેલ કોઈપણ સીધા આદેશની સૂચના પ્રભારી મંત્રીને આપવાના નિર્દેશ અપાયો છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નિર્દેશોની જાણકારી આપતા કહ્યું કે, ટીબીઆર અને સુપ્રીમ કોર્ટના ફેસલાના નિયમ 49 અને 50નું ઉલ્લંઘન કરતાં એલજી ચૂંટાયેલ સરકારની અવગણના કરી વિભાગ સચિવોને આદેશ જાહેર કરી રહ્યા છે. LG ના આવા ગેરકાયદેસર સીધા આદેશોનો અમલ TBR ના નિયમ 57 ના ઉલ્લંઘન સમાન ગણાશે.
આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, એલજીથી સીધા પ્રાપ્ત થયેલા આવા કોઈપણ આદેશ સંવિધાન અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને સંવિધાનના ઉલ્લંઘનમાં આદેશોના અમલીકરણને સરકાર દ્વારા ગંભીરતાથી જોવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ગુરુવારે જ ઉપરાજ્યપાલને પત્ર લખી ટ્રાંજેક્શન ઑફ બિઝનેસ ઑફ જીએનસીટીડી (સંશોધન) 2021ના નિયમ અંતર્ગત નિર્ણય લેવાની અપીલ કરી હતી. સિસોદિયાએ પત્રમાં લખ્યું હતું કે કોઈ મામલામાં ઉપરાજ્યપાલ અને મંત્રી વચ્ચે ડિફરેન્સ ઑફ ઓપિનિયનની સ્થિતિમાં 15 દિવસમાં ઉપરાજ્યપાલ ચર્ચાના માધ્યમથી સમસ્યા ઉકેલવાનો પૂરો પ્રયત્ન કરશે.
કેજરીવાલ સરકારનો આરોપ છે કે ઉપરાજ્યપાલ 'સંવિધાન અને સુપ્રીમ કોર્ટના ફેસલા'નો ઉલ્લંઘન કરી ચૂંટાયેલી સરકારની અવગણના કરી સચિવોને સીધો આદેશ જાહેર કરી રહ્યા છે. સંવિધાન અને સુપ્રીમ કોર્ટના આદેશોને લાગૂ કરાવવા માટે સરકાર તરફથી ગંભીરતાથી કામ કરવામાં આવશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
