For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇલેક્ટ્રિસિટી બીલ મુદ્દે કેજરીવાલના આમરણ ઉપવાસ

By Super
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી,4 માર્ચઃ આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણી પહેલા સરકારને ઘેરવા માટે નવી રણનીતિ બનાવી છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ 23 માર્ચે એટલે કે ભગત સિંહના શહિદ દિને આમરણ અનશન પર બેસી રહ્યાં છે અને તેમનો મુદ્દો હશે ઇલેક્ટ્રિસિટી બીલ.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે લોકોને વિજળીના બિલ નહીં ભરવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે ઇલેક્ટ્રિસિટી કંપનીઓની મિલીભગતથી સરકારે વિજળીના ભાવ વધાર્યા છે, જ્યારે લોકોને ઓછા ભાવે વિજળી મળવી જોઇએ. આ મુદ્દો ભલે દિલ્હીનો છે, પરંતુ કેજરીવાલે વિરોધમાં હવે પોતાના કૌશાંબીના ઘરનું વિજળી બિલ પણ નહીં ભરવાનું એલાન કર્યું છે.

કેજરીવાલે જણાવ્યા પ્રમાણે લોકોએ 20 હજાર સુધીના અણધડ બિલ આવી રહ્યાં છે અને જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી કંપનીઓ પર લગામ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી તેઓ આમરણ ઉપવાસ પર બેસશે. કેજરીવાલે જણાવ્યા પ્રમાણે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર ડીઇઆરસી અને ઇલેક્ટ્રિસિટી કંપનીઓની મિલીભગત ચાલી રહી છે.

English summary
Activist-turned-politician Arvind Kejriwal has announced a fast starting March 23 to protest against electricity prices in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X