કેજરીવાલને ફસાવાયા, દારૂ કૌભાંડ તો બીજેપીએ કર્યુ-સંજય સિંહ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાઈ રહી છે ત્યારે હવે દિલ્હી શરાબ કૌભાંડના તાર કમલમ સુધી પહોંચ્યા છે. આપ સાંસદ સંજય સિંહે આ મામલે ગંભીર આરોપ લગાવ્યા છે.
રવિવારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે જંતર-મંતર પર સામૂહિક ઉપવાસ કર્યા છે. આ દરમિયાન પાર્ટીના ટોચના નેતાઓએ કેન્દ્રની મોદી સરકારને ઘેરી.

મંચ પરથી AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાજ્યસભા સાંસદ અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના 6 મહિના પછી જેલમાંથી મુક્ત થયેલા સંજય સિંહે ED-CBI સાથે ભાજપને ઘેરી. આ સાથે સંજય સિંહે બીજેપીના નારા મોદીની ગેરંટી પર પણ પ્રહારો કર્યા.
સંજય સિંહે કથિત દારૂ કૌભાંડને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને બીજેપીના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલવાનો પડકાર ફેંક્યો. સંજય સિંહે આરોપ લગાવ્યો કે ભાજપના ખાતામાં 55 કરોડની મની ટ્રેલ મળી આવી છે.
આ સાથે સિંહે અરબિંદો ફાર્મા દ્વારા આપવામાં આવેલા દાનનો ઉલ્લેખ કર્યો, જેના ડિરેક્ટર અને પ્રમોટર સરથ ચંદ્ર રેડ્ડીની આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રેડ્ડી બાદમાં આ કેસમાં સરકારી સાક્ષી બન્યા અને તેમને જામીન મળી ગયા.
જંતર-મંતર પર સભાને સંબોધતા સંજય સિંહે કહ્યું કે, જો તમારામાં (એલજી) થોડી પણ નૈતિકતા બાકી હોય તો પત્ર લખો, ભાજપના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દો, તેને દારૂનું કૌભાંડ કર્યું છે.
સંજય સિંહે ભાજપને સ્વતંત્ર ભારતની સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી અને મોદીની ગેરંટીના નારાની મજાક ઉડાવી. સંજય સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે મોદી તમામ ભ્રષ્ટ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવાની ખાતરી આપે છે. આ સાથે તેણે કહ્યું કે પાછળથી તેને તપાસ એજન્સીઓ તરફથી રાહત મળે છે.
સંજય સિંહે મંચ પરથી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી કેજરીવાલના રાજીનામાની ભાજપની માંગને નકારી કાઢી. તેમણે કહ્યું કે, મને બતાવો કે ક્યાં લખ્યું છે કે જો કોઈ ઈમાનદાર મુખ્યમંત્રીને ખોટા આરોપમાં જેલમાં નાખવામાં આવે છે તો તેમણે રાજીનામું આપવું પડે?
સંજય સિંહે કહ્યું કે, ED-CBI પાસે 456 સાક્ષીઓ છે. બંને એજન્સીઓમાં 50,000 પેજની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. આ 456 સાક્ષીઓમાંથી માત્ર 4 સાક્ષીઓએ અરવિંદ કેજરીવાલનું નામ લીધું છે. તેમણે કયા સંજોગો અને દબાણમાં અરવિંદ કેજરીવાલનું નામ લીધું, તે હવે કોઈનાથી છુપાયેલું નથી.
સંજય સિંહે કહ્યું કે, તેમને AAPને ખતમ કરવાના ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે. દારૂનું કૌભાંડ ભાજપ દ્વારા કરવામાં આવ્યું, તેમની ધરપકડ બાદ શરથ રેડ્ડીની પાસેથી 55 કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી.
AAP કેજરીવાલની ધરપકડ પર એક દિવસના ઉપવાસ પ આપ નેતા આતિશીએ કહ્યું કે, BJPની ED અને CBI આમ આદમી પાર્ટીના નેતાઓના દારૂના કૌભાંડનો એક પૈસો પણ બતાવવામાં સક્ષમ નથી.












Click it and Unblock the Notifications
