10 મેંએ કેજરીવાલની જામીન અરજી પર ફેંસલો આવી શકે, જાણો શું કહ્યું કોર્ટે?
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર 10 મેંના રોજ સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે.
અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એક મહિનાથી વધુ સમયથી જેલમાં છે.

એક્સાઇઝ ડ્યુટી પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર સુપ્રીમ કોર્ટ 10 મેના રોજ પોતાનો આદેશ આપી શકે છે.
આબકારી નીતિ કૌભાંડ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી ધરપકડ સામે કેજરીવાલની અરજીની સુનાવણી કરી રહેલી બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ આ વાત કહી.
બુધવારે કેજરીવાલના કેસની સુનાવણી કરતા જસ્ટિસે કહ્યું કે, અમે શુક્રવારે કેજરીવાલના વચગાળાના જામીન પર વચગાળાનો આદેશ આપીશું. ધરપકડને પડકારવા સંબંધિત મુખ્ય કેસનો પણ તે જ દિવસે નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે.
બુધવારે જસ્ટિસ ખન્ના જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સાથે અલગ કમ્પોઝિશનમાં બેઠા હતા. ખન્નાએ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ બાદ કેજરીવાલના વચગાળાના જામીન અંગે આ માહિતી આપી.
જણાવી દઈએ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત કેસમાં કેન્દ્ર વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર થયા હતા, તેમણે કેજરીવાલની અરજીના લિસ્ટિંગ પર સ્પષ્ટતા માંગી.
7 મેના રોજ સુપ્રીમ કોર્ટની બેંચે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.












Click it and Unblock the Notifications
