કેરળઃ RSS કાર્યાલય પર ફેંકાયો બોમ્બ, 3 કાર્યકર્તા ઘાયલ
કેરળના કૌઝિકોડમાં નદાપુરમ વિસ્તારમાં સ્થિત આરએસએસના કાર્યાલયમાં બોમ્બ ફેંકાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરએસએસના ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા છે.
કેરળ ના કલાચી સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યાલયમાં બોમ્બ ફેંકાયો હોવાની ખબર સામે આવી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ ઘટનામાં આરએસએસના ત્રણ કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક કોઝિકોડની રાજકીય મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, સંઘ કાર્યાલયમાં આ બોમ્બ કોણે ફેંક્યો એ વાત હજુ જાણી શકાઇ નથી. કેરળમાં આરએસએસ અને લેફ્ટ વચ્ચેની હિંસાત્મક અથડામણના કિસ્સા અનેકવાર સામે આવ્યા છે.

આ ઘટના બાદ આરએસએસ વિચારક રાકેશ સિન્હાએ કેરળના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, સીપીએમ તરફથી કરવામાં આવી રહેલી હિંસાત્મક કાર્યવાહી કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયનની નજર હેઠળ જ શરૂ કરવામાં આવી છે. તેમણે આ મામલે ગૃહમંત્રાલયને કેરળ સરકાર માટે એડવાઇઝરી જાહેર કરવાની માંગ કરી છે. આરએસએસ વિચારક રાકેશ સિન્હાએ કહ્યું કે, ગૃહમંત્રીએ કેરળની મુલાકાત લેવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, આરએસએસના નેતા કે.ચંદ્રાવતે નિવેદન કર્યું હતું કે, કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયનનું માથું કાપીને લાવે તેને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમના આ નિવેદન બાદ જ આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકાયો હોવાની ઘટના સામે આવી છે. કે.ચંદ્રાવતે ઉજ્જૈનમાં આયોજિત જનસભાને સંબોધિત કરતાં આ વાત કહી હતી. જો કે, આરએસએસ તરફથી તેમના આ નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.
આરએસએસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, સંગઠન આવી હિંસાત્મક પ્રવૃત્તિઓનું સમર્થન નથી કરતું. આ વિચાર માત્ર એક વ્યક્તિના છે, આને સંગઠનનું લક્ષ્ય માનવામાં ન આવે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
