પીએમ મોદીને ઝેરીલો સાપ કહેવા મુદ્દે ખડગેની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરીલો સાપ કહ્યાં બાદ રાજનીતિ ગરમાઈ છે. બીજેપીના નેતાઓ તેમના આ નિવેદન મુદ્દે સતત સ્પષ્ટતા કરી રહ્યા છે. જો કે હવે મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
આ મુદ્દે સ્પષ્ટતા કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે કોઈ વ્યક્તિ પર ટિપ્પણી કરી નથી અને ન તો તે આવું કરવાનો ઈરાદો હતો. જણાવી દઈએ કે, કર્ણાટકમાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીને ઝેરી સાપ કહેવાનો આરોપ છે. તેમના નિવેદનને કારણે બીજેપી આક્રમક રીતે પ્રહારો કરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈને દુઃખ પહોંચ્યું હોય, તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોય કે તેનાથી કોઈ નારાજ થયું હોય તો હું તેની ખાસ નોંધ લઈશ અને ખેદ વ્યક્ત કરીશ.
ખડગેએ કહ્યું કે, અમારી વચ્ચે વૈચારિક મતભેદ છે. આરએસએસ-બીજેપીની વિચારધારા ઝેરી છે. પરંતુ તેમણે તેની સરખામણી વડાપ્રધાન સાથે કરી અને દાવો કર્યો કે મેં તેમના પર ટિપ્પણી કરી છે. કોઈ વ્યક્તિ વિરુદ્ધ બોલવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો.
#Correction | If my statement has hurt anyone, if it was misconstrued and distressed anyone, I will express special regret for it: Congress President Mallikarjun Kharge
— ANI (@ANI) April 27, 2023
(file pic) pic.twitter.com/XfjxK66B4c
અહીં તમને જણાવી દઈએ કે, મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ સતત વિવાદ વધી રહ્યો હતો અને બીજેપીના નેતાઓ તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. હવે તેમને ખુલાસો કરી દીધો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
