CDS બિપિન રાવતને લઇ જતા હેલિકોપ્ટર IAF Mi-17V5 વિશે જાણો, અકસ્માતને શિકાર થયું
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. CDS બિપિન રાવતને લઈ જતું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવતની સાથે તેમની પત્ની પણ હાજર હત
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. CDS બિપિન રાવતને લઈ જતું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવતની સાથે તેમની પત્ની પણ હાજર હતી. આ અકસ્માતમાં ચીફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવતનું પણ નિધન થયું છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત વેલિંગ્ટનમાં પ્રવચન આપવા માટે ઉન્ટી ગયા હતા. આ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે હતી. કાર્યક્રમ પછી CDS તેમની પત્ની અને એક બ્રિગેડિયર રેન્કના અધિકારી ભારતીય વાયુસેનાના Mi-17VF હેલિકોપ્ટરમાંથી બહાર આવ્યા પરંતુ હેલિકોપ્ટર ટેક-ઓફની થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું હતુ.
સેના તરફથી મળેલી માહિતી મુજબ જનરલ રાવતની સાથે હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. આમાં હેલિકોપ્ટરમાં સીડીએસ રાવતની પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર, લાન્સ નાઈક બી સાઈ તેજા, હવાલદાર સતપાલ હાજર હતા.
2 એન્જીનવાળુ હેલિકોપ્ટર
Mi-17VM ટ્વીન એન્જિન એરફોર્સ હેલિકોપ્ટર છે. વાયુસેનાનું આ હેલિકોપ્ટર ખૂબ જ એડવાન્સ પ્રકારનું છે. તેની એડવાન્સ ટેક્નોલોજીના કારણે સેના તેના મિશનમાં તેનો ઉપયોગ કરી રહી છે.
અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ હેલિકોપ્ટરની ગણતરી પરિવહનની વિવિધતામાં થાય છે. રશિયામાં નિર્મિત આ હેલિકોપ્ટરને સેના અને હથિયારોના પરિવહન માટે પણ તૈનાત કરી શકાય છે. 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડવાની ક્ષમતા ધરાવતું આ હેલિકોપ્ટર 6000 મીટરની ઊંચાઈએ ઉડી શકે છે. એકવાર રિફ્યુઅલ થઈ ગયા પછી તે એક ઉડાનમાં 580 કિમીનું અંતર કાપી શકે છે. તેની પાસે બે સહાયક ટેન્ક પણ છે અને જો તે બંને ટેન્ક ભરાઈ જાય તો તેની ઉડાન ક્ષમતા એક સમયે 1065 કિમી સુધી પહોંચી જાય છે.
Mi-17VM મધ્યમ લિફ્ટર રેન્જનું હેલિકોપ્ટર છે જે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટેકઓફ કરી શકે છે. તે ઉષ્ણકટિબંધીય, સમુદ્રી આબોહવા તેમજ રણની સ્થિતિમાં ઉડી શકે છે.
આ દુર્ઘટના ખરાબ હવામાનના કારણે થઈ છે કે અન્ય કોઈ કારણથી થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તે જ સમયે, ભારતીય વાયુસેનાએ આ મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
