મહારાષ્ટ્રમાં ઝડપથી કેમ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ? સામે આવ્યા કારણ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારા માટે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.જાણો અહીં.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ મહિનાની શરૂઆતથી કોરોના વાયરસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યનો અમરાવતી જિલ્લો હૉટસ્પૉટ બની રહ્યો છે. પરંતુ કોરોનાના કેસોમાં આ વધારો કેમ થઈ રહ્યો છે? મહારાષ્ટ્રના એક ડૉક્ટરે આની પાછળના કારણો વિશે માહિતી આપી છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના અમરાવતી અને અચલપુર શહેરમાં કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ માટે ત્રણ કારણ જવાબદાર છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના ટેકનિકલ સલાહકાર ડૉ. સુભાષ સાળુકેએ જણાવ્યુ કે તેમણે હાલમાં જ અમરાવતી અને અચલપુર શહેરનો પ્રવાસ કર્યો હતો. ત્યાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારા માટે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે...

અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ
પહેલુ કારણ વાયરસ, તેની સંરચના, ઉત્પરિવર્તન અને તેની સંચરણની ક્ષમતા છે. બીજુ કારણ એ વ્યક્તિ છે જે સંક્રમિત થઈ જાય છે અને તેને બીજા સુધી પહોંચાડે છે અને ત્રીજુ પર્યાવરણ અને હવામાન છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ મ્યુટેશન ઘણી વાર થયુ છે અને તે સામાન્ય વાયરસની સરખામણીએ ઝડપથી સંક્રમિત કરી રહ્યુ છે. તેમણે ચેતવણી આપીને કહ્યુ કે આ વાયરસ ધીમે ધીમે પૂણે અને મુંબઈ જેવા અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે.

અન્ય રાજ્યોમાં પણ ફેલાશે
ડૉ. સાળુકેએ જણાવ્યુ કે જો આ વાયરસને રોકવા માટે જલ્દી વ્યવસ્થા કરવામાં ન આવી તો એ દિવસ દૂર નથી જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ તે ફેલાઈ જશે. જો કે તેમણે એ પણ કહ્યુ કે અમરાવતી અને યવતમાલ જિલ્લાઓમાં જે વાયરસ મળ્યો છે તે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં વધારા માટે જવાબદાર નથી. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં થઈ રહેલ કોરોના વાયરસના રસીકરણે નિશ્ચિત રીતે તેને કંટ્રોલ કરવાનુ કામ કર્યુ છે.

કોરોના વાયરસ વેક્સીન
ડૉ. સાળુકેએ જણાવ્યુ કે તેમણે મંગળવારે કોરોના વાયરસની બીજી વેક્સીન લગાવી લીધી છે. તે ઉપરાંત સંભાગીય કમિશ્નર સૌરવ રાવ અને પોલિસ કમિશ્નર (પૂણે સિટી) અમિતાભ ગુપ્તાને પણ કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
