જાણો કોણ છે JNU છાત્રસંઘ અધ્યક્ષ આઈશી ઘોષ, જેણે જણાવી બુકાનીધારીઓની તાંડવની કહાની
જેએનયુ મારપીટમાં JNU છાત્રસંઘ અધ્યક્ષ આઈશી ઘોષ વિશે વિસ્તારથી જણાવીએ. જાણો કોણ છે, શુ છે તેમની એકેડેમિક અને છાત્ર રાજનીતિનો રેકોર્ડ.
દિલ્લી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં ગયા રવિવારે બુકાનીધારી હુમલાખોરોએ જોરદાર ઉત્પાત કર્યો. લોખંડની રૉડ, લાઠી-દંડા અને ધારદાર હથિયાર લઈને તે કેમ્પસમાં આવ્યા અને છાત્રોને જોરદાર પીટ્યા. જો કે લેફ્ટ વિંગ સ્ટુડન્સ અને એબીવીપી એકબીજાને હુમલા માટે જવાબદાર ગણાવી રહ્યા છે. આ મારપીટમાં JNU છાત્રસંઘ અધ્યક્ષ આઈશી ઘોષ વિશે વિસ્તારથી જણાવીએ. જાણો કોણ છે, શઉં છે તેમની એકેડેમિક અને છાત્ર રાજનીતિનો રેકોર્ડ.
પશ્ચિમ બંગાળના એક નાના શહેરની છે આઈશી ઘોષ
આઈશી ઘોષ પશ્ચિમ બંગાળના એક નાના શહેર દુર્ગાપુરની રહેવાસી છે. તે ત્યાંથી જ આગળનો અભ્યાસ માટે દિલ્લી આવી હતી. વર્ષ 2009માં JNU છાત્રસંઘની અધ્યક્ષ ચૂંટવામાં આવી. જીત્યા બાદ તેણે વિશ્વવિદ્યાલયના ઘણા મુદ્દાઓ પર શાંતિપૂર્ણ સંઘર્ષની વાત કહી હતી. તે જેએનયુની સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં એમફિલની છાત્રા છે. અહીંથી પહેલા આઈશીએ દોલતરામ કોલેજથી પોલિટિક્સનો અભ્યાસ કર્યો. યુનિવર્સિટી પ્રશાસન તરફથી છાત્ર હિતોને લઈને લેવાયેલા કોઈ પણ નિર્ણયમાં પણ ખામી જણાતા તે વિરોધના સૂર ઉઠાવતી રહી છે.
એમબીએની ફી માટે તે ઉપવાસ પર બેઠી
વર્ષ 2019માં એમબીએની 12 લાખ રૂપિયા સુધી વધેલી ફી માટે આઈશી ઘોષ ભૂખ હડતાળ પર પણ બેઠી હતી. ભૂખ હડતાળમા તબિયત બગડ્યા બાદ તેને ડૉક્ટરોની સલાહ બાદ ઉપવાસ પરથી ઉઠાવવામાં આવી હતી. આઈશી ઘોષ સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા સંગઠન સાથે જોડાયેલી છે. આઈશી તરીકે આ સંગઠનમાંથી 13 વર્ષ બાદ કોઈ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ 65 વર્ષના પ્રોડ્યુસરે ઓફિસ બોલાવીને કહ્યુ, ટૉપ ઉઠાવીને બતાવ, અભિનેત્રીએ કર્યો ખુલાસો
દેશની રાજનીતિનો હિસ્સો બનવા ઈચ્છે છે આઈશી
ન્યૂઝ ચેનલ આજતક સાથે ખાસ વાતચીતમાં આઈશીએ કહ્યુ હતુ કે તે જેએનયુથી બહાર દેશના રાજકારણમાં પણ જવાનુ પસંદ કરશે. તેનુ કહેવુ છે કે મને લાગે છે કે મહિલાઓ રાજનીતિ દ્વારા જ સમાજમાં પોતાના માટે પોષાઈ રહેલા વિચારોને બદલી શકે છે.
આઈશીએ પોતે જણાવી બુકાનીધારીઓના આતંકની કહાની
આઈશી ઘોષે કહ્યુ કે બુકાનીધારી ગુંડાઓએ મારા પર હુમલો કર્યો. મને બરહેમીથી મારવામાં આવી છે અને લોહી વહી રહ્યુ છે. આઈશીએ જણાવ્યુ કે બુકાનીધારીઓએ મારા વાળ ખેંચ્યા, રૉડથી મારી. તમને જણાવી દઈએ કે આઈશા માથા પર ગંભીર ઈજા થઈ છે અને તેના માથા પર પાંચ ટાંકા આવ્યા છે. જેએનયુ છાત્ર સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 25થી વધુ લોકો ઘાયલ થયા છે.