Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

who is LK Advani : કોણ છે લાલકૃષ્ણ અડવાણી? જાણો એલકે અડવાણીની રાજકીય સફર

who is LK Advani: નવી દિલ્હીની AIIMSમાં દાખલ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગુરુવારના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અગાઉના દિવસે, હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપના દિગ્ગજ નેતાની હાલત સ્થિર છે, અને નિષ્ણાતોની ટીમ તેમની તપાસ કરી રહી છે.

96 વર્ષીય પૂર્વ નાયબ વડાપ્રધાનને બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર છે.

ન્યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડિસિન સહિત વિવિધ વિશેષતા ધરાવતા ડૉક્ટર્સની ટીમ તેની સ્થિતિની તપાસ કરી રહી છે. લાલકૃષ્ણ અડવાણીની બિમારીની હજુ સુધી જાણકારી મળી નથી.

મોદી અડવાણીને મળ્યા હતા લાલકૃષ્ણ અડવાણી - તાજેતરમાં 7 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર રચવાનો દાવો કરતાં પહેલાં વરિષ્ઠ બીજેપી નેતા અડવાણીને નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા, ભાજપના સંસદીય દળના નેતા અને લોકસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટાયા પછી તરત જ લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા.

Know who is LK Advani

લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજકારણના અગ્રણી વ્યક્તિઓમાંના એક છે. તેમના નેતૃત્વમાં ભાજપે મહત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા છે. સ્વાસ્થ્યના પડકારો હોવા છતાં, તેમણે તેમની રાજકીય કારકિર્દીમાં સતત સક્રિયતા અને સમર્પણ દર્શાવ્યું છે.

લાલકૃષ્ણ અડવાણીની રાજકીય સફર અને યોગદાન ભારતીય રાજકારણમાં સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. ભારતીય રાજકારણ અને ભાજપને મુખ્ય પ્રવાહમાં લાવવામાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન મહત્વનું રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના કારણે તેમને ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.

લાલકૃષ્ણ અડવાણીની રાજકીય સફર - political journey of Lal Krishna Advani

  • લાલકૃષ્ણ અડવાણીએ તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્ય તરીકે શરૂ કરી હતી.
  • 1951માં જનસંઘની સ્થાપના થઈ, ત્યારે તેઓ તેના સભ્ય બન્યા હતા.
  • લાલકૃષ્ણ અડવાણીએ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • લાલકૃષ્ણ અડવાણી 1986 થી 1991 અને ફરીથી 1993 થી 1998 સુધી ભાજપના અધ્યક્ષ હતા.
  • રામજન્મભૂમિ ચળવળ - તેમણે રામજન્મભૂમિ ચળવળમાં સક્રિય ભાગ લીધો, જેનાથી તેમની લોકપ્રિયતા વધી હતી.
  • વાજપેયી સરકાર : 1998-2004 દરમિયાન, તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન હતા.
  • વડાપ્રધાન પદના ઉમેદવાર : તેઓ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X