INS કોલકાતા યુદ્ધજહાજમાં વિસ્ફોટ, એક કમાંડરનું મોત
મુંબઇ, 7 માર્ચ: આઇએનએસ કોલકાતા યુદ્ધજહાજમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં નૌકાદળના એક કમાંડર કુંતલ રંધાવાનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ મુંબઇના મઝગાવ ડોકયાર્ડ પર થયો છે.
આ વિસ્ફોટના કારણે યુદ્ધજહાજમાં આગ લાગી ગઇ. આગના કારણોનો ખુલાસો હજી સુધી કરાઇ શક્યો નથી. ગેસ લિકેજના કારણે કેટલાંક અધિકારીઓ બેભાન પણ થઇ ગયા જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આઇએનએસ કોલકાતા જૂનના મહિનામાં નેવીમાં સામેલ થવાનો હતો અને તે ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર છે.
આ ઘટનાને લઇને ભાજપે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે યુપીએ સરકારે નૌકાદળની અણદેખી કરી છે. તેમણે એકવાર ફરી રક્ષામંત્રી એકે એંટનીના રાજીનામાની માંગ કરી છે.

ત્યારબાદ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી નૌકાદળના પ્રમુખ એડમિરલ ડીકે જોશીએ પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું. સરકારે પણ તેમનું રાજીનામું તાત્કાલિક ધોરણે સ્વીકારી દીધું હતું. છેલ્લા સાત મહિનામાં ભારતીય નૌકાદળના દસ યુદ્ધજહાજ અને ત્રણ સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઇ ચૂકી છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
