Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lal Krishna Advani Health Update : અડવાણી AIIMS હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો શું હતી સમસ્યા?

Lal Krishna Advani Health Update : લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. તબિયત બગડતા તેમને એઈમ્સ ખસેડાયા હતા.

હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર છે અને નિષ્ણાતોની ટીમ નજર રાખી રહી છે.

Lal Krishna Advani Health Update

96 વર્ષીય અડવાણીને બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પ્રમાણે લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર છે.

ન્યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડિસિન સહિત વિવિધ વિશેષતા ધરાવતા ડોકટરોની ટીમ તેમની સ્થિતિની તપાસ કરી રહી છે. અડવાણીની બિમારીની હજુ સુધી જાણકારી મળી નથી.

જણાવી દઈએ કે, 7 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર રચવાનો દાવો કરતાં પહેલાં વરિષ્ઠ બીજેપી નેતા અડવાણીને નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. વડા પ્રધાન મોદી અડવાણીને NDA સંસદીય દળના નેતા, ભાજપના સંસદીય દળના નેતા અને લોકસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટાયા પછી તરત મળ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજનીતિની અગ્રણી હસ્તીઓમાંના એક છે. તેમના નેતૃત્વમાં ભાજપે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સ્વાસ્થ્યના પડકારો હોવા છતાં તેમણે તેમની રાજકીય કારકિર્દીમાં સતત સક્રિયતા અને સમર્પણ દર્શાવ્યું છે. તેમની રાજકીય યાત્રા અને યોગદાન ભારતીય રાજકારણમાં સીમાચિહ્નરૂપ સાબિત થયું છે.

ભારતીય રાજકારણ અને ભાજપને મુખ્ય પ્રવાહમાં લાવવામાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન મહત્વનું રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના કારણે તેમને ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X