For Daily Alerts
ચારા કૌભાંડઃ લાલુને મળ્યા જામીન
નવી દિલ્હી, 13 ડિસેમ્બરઃ ઘાસા ચારા કૌભાંડમાં પાચ વર્ષની જેલની સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યાં છે. લાલુ પ્રસાદ યાદવના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા આ જામીન મંજૂર છે. નોંધનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ રાંચીને જેલમાં બંધ છે.
નોંધનીય છે કે, 1994-95માં કરવામાં આવેલા ઘાસ-ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સૌથી વધારે પાંચ વર્ષની સજા અને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ સિવાય આરજેડી સાંસદ જગદીશ શર્માને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને ચાર વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Comments
lalu prasad yadav fodder scam jail rjd leader supreme court લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડ જેલ આરજેડી નેતા સુપ્રીમ કોર્ટ જામીન
English summary
The Supreme Court today granted bail of Rashtriya Janata Dal (RJD) chief Lalu Prasad Yadav in connection with the fodder scam case.