For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાનના ગોળીબારમાં લાંસ નાયક સંદીપ થાપા શહીદ

જમ્મુ કાશ્મીરમા લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પર સતત પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમા લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પર સતત પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ છે. પાકિસ્તાન તરફથી ચાલી રહેલ ગોળીબારમાં ઈન્ડિયન આર્મીના લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયા છે. નૌશેરા સેક્ટર, રાજૌરીમાં આવે છે અને સેના તરફથી પાકિસ્તાનને સતત જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી 15 ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામ તોડવામાં આવી રહ્યુ છે.

pakistan ceasefire

દુનિયાનું ધ્યાન ખેંચવાની કોશિશ

સેના સૂત્રો તરફથી શુક્રવારે કહેવામાં આવ્યુ હતુ કે પાકિસ્તાન, યુનાઈટેડ નેશન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રાખવા માટે આવુ કરી રહ્યુ છે. સૂત્રોએ પાક તરફથી આવનારા દિવસોમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓ વધવાની વાત કહી છે. સેના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જલ્દી યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી એટલે કે ઉંગાના સત્રની શરૂઆત થવાની છે. પાકિસ્તાન આ દરમિયાન વિક્ટિમ કાર્ડ રમવાની કોશિશ કરશે. ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે આવનારા દિવસોમાં પાક તરફથી વધુ યુદ્ધવિરામ કરવામાં આવશે. સેનાના સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોમાં ફાયરિંગ અને ગોળીબારવાળા વિસ્તારોમાં વધારો કર્યો છે. પાકિસ્તાનનો હેતુ વધુને વધુ ગોળીબાર કરીને કાશ્મીર મુદ્દે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો છે.

આ પણ વાંચોઃ અરુણ જેટલીની હાલત ખૂબ નાજુક, વેંટિલેટરથી હટાવીને લાઈફ સપોર્ટ પર રખાયાઆ પણ વાંચોઃ અરુણ જેટલીની હાલત ખૂબ નાજુક, વેંટિલેટરથી હટાવીને લાઈફ સપોર્ટ પર રખાયા

English summary
Indian Army Lance Naik Sandeep Thapa martyrd in ceasefire violation by Pakistan in Nowshera Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X