Cyclone Nisarg: જાણો, સાયક્લોનમાં લેંડફૉલનો અર્થ શું અને શા માટે તે મહત્વપૂર્ણ છે?
સાયક્લોનમાં લેંડફૉલનો અર્થ શું અને શા માટે તે મહત્વપૂર્ણ છે? જાણો અહીં...
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે ચક્રવાતી તોફાન 'નિસર્ગે' મહારાષ્ટ્રમાં દસ્તક દઈ દીધી છે અલીબાગમાં ત્રણ કલાકના લેંડફૉલ બાદ નિસર્ગ તોફાન મહારાષ્ટ્રમાંથી પસાર થઈ ચૂક્યુ છે અન્ ગુજરાત તરફ આગળ વધ્યુ છે. એટલુ જ નહિ તેની તીવ્રતા પણ ઘટી ગઈ છે. ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડુ બુધવારે બપોરે મહારાષ્ટ્રના તટે ટકરાયુ હતુ. જે દરમિયાન ઘણી જગ્યાએ વરસાદ અને ઝડપી પવન ફૂંકાયો હતો. એનડીઆરએફના પ્રમુખ એસ એન ચૌધરીએ ટ્વિટમાં કહ્યુ કે નિસર્ગ વાવાઝોડાનો આજે બપોરે મુંબઈથી 100 કિલોમીટર દૂર અલીબાગ પાસે લેંડફૉલ થયુ. જેના કારણે ભારે વરસાદ અને ઝડપી પવનના કારણે વૃક્ષો પડતા દેખાયા.

જાણો શું હોય છે લેંડફૉલ?
વાસ્તવમાં લેંડફૉલ કે ભૂસ્ખલન એક ભૂવૈજ્ઞાનિક ઘટના છે. ધરાતળની હલચલો જેવી કે પત્થર ખસી જવા કે પડવા, પત્થર જેવી માટી વહેવી વગેરે આની અંતર્ગત આવે છે. ભૂસ્ખલ ઘણા પ્રકારના હોઈ શકે છે અને આમાં ચટ્ટાનોના નાના પત્થરો પડવાથી લઈને મોટી માત્રામાં ચટ્ટાનના ટૂકડા અને માટી વહેવાનુ શામેલ હોઈ શકે છે અને આનો વિસ્તાર ઘણા કિલોમીટરના અંતર સુધી હોઈ શકે છે. ચક્રવાત, ભારે વરસાદ, પૂર કે ભૂકંપ આવવાથી ભૂસ્ખલન થાય છે.

વાવાઝોડામાં ભૂસ્ખલન
ખાસ કરીને વાવાઝોડામાં ભૂસ્ખલનને સરળ શબ્દોમાં સમજીએ તો સમુદ્રમાં આની તીવ્રતા બાદ જમીન પર ચાલી રહેલ તોફાન. કહેવાય છે કે એક ટ્રોપિકલ સાયક્લોન ત્યારે લેંડફૉલ કરે છે જ્યારે ચક્રવાતનુ કેન્દ્ર સમુદ્રને પાર ફરવા લાગે છે. આ ઉષ્ણકટીબંધીય વાવાઝોડા મોટેભાગે ગરમ સમુદ્રોમાં બનતા હોય છે. ચક્રવાતની સૌથી વધુ ઝડપી હવાઓ કેન્દ્રમાં નથી હોતી પરંતુ સામાન્ય રીતે કેન્દ્રની એક તરફ મજબૂત હોય છે. જ્યારે ભૂસ્ખલન નથી થયુ હોતુ ત્યારે પણ જ્યારે ચક્રવાત ભૂમિ તરફ હોય છે ત્યારે ખૂબ જ ઝડપી પવનનો અનુભવ જમીન પર થતો હોય છે. આનાથી ઉલટુ પણ થઈ શકે છે જ્યારે ચક્રવાત લેંડફૉલ કરે પરંતુ ભારે પવનો સમુદ્રમાં જ રહે તેવુ બની શકે. ભૂસ્ખલન સામાન્ય રીતે ખૂબ જ ઝડપી પવન, ગંભીર તોફાન અને મૂસળધાર વરસાદ સાથે લાવે છે જે આ ક્ષેત્રમાં ગંભીર અસર કરી શકે છે.

લેંડફૉલ સમયે શું ન કરવુ
- ઢાળવાળી ઘાટીઓં વધુ સમય પસાર ન કરવો.
- જે વિસ્તારોમાં ભૂસ્ખલનનુ જોખમ હોય ત્યાં નિર્માણ કાર્ય ન કરવુ.
- ભૂસ્ખલ સમયે ગભરાઈને ઉહાપોહમાં ઉર્જા નષ્ટ ન કરવી.
- કોઈ પદાર્થ કે વિજળીના ઉપકરણોને અડવુ નહિ.

લેંડફૉલ સમયે શું કરવુ
- હવામાનની માહિતીથી હંમેશા અપડેટ રહેવુ.ૉ
- રેડિયો, ટીવી કે ઈન્ટરનેટથી હવામાનની માહિતી મેળવતા રહેવુ અને તેના આધારે જ પહાડો પાસે જવુ.
- એવા વિસ્તારો કે જ્યાં ભૂસ્ખલનની ઘટનાઓ થતી રહેતી હોય ત્યાં ન જવુ.
- ઘરની આસપાસ વધુ વૃક્ષો વાવવા, વૃક્ષોના મૂળ માટીને પકડી રાખે છે.
- ભૂસ્ખલન થવાનો ખતરો લાગે તો જિલ્લા પ્રશાસનને સૂચના આપો.
- જો ભૂસ્ખલનમાં ફસાઈ ગયા હોય તો સુરક્ષિત સ્થળે જવાનો પ્રયત્ન કરો. સારુ રહેશે કે સાવચેતી રૂપે તમે આવા સમયે ઘરમાં રહો.
ત્રણ સાપોની જોડી કરી રહી છે એકબીજા સાથે મસ્તી, જુઓ Video
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
