મહારાષ્ટ્રમાં ભુસ્ખલન વચ્ચે તબાહીના મંજર, 27 મૃતહેદ મળ્યા, 78 લોકો લાપત્તા
હાલ ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે તબાહીના મંજર જોવા મળી રહ્યા છે. આ સ્થિતીમાં મહારાષ્ટ્રમાં પણ સ્થિતી ગંભીર છે. અહીં ભુસ્ખલનને કારણે મોટી જાનહાનિ થઈ છે અને મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે.
મહારાષ્ટ્રના રાયગઢ ભૂસ્ખલનથી તબાહીના મંજર જોવા મળી રહ્યા છે. આ ભયાનક ભુસ્ખલન બાદ અત્યારસુધીમાં 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 78 લોકો લાપત્તા છે. ચાર દિવસ બાદ હવે તંત્રએ બચાવ કામગીરી પુર્ણ કરવાની જાહેરાત કરી છે.

સરકાર દ્વારા બચાવ અધિકારીઓ, રાજ્ય સરકાર અને ગ્રામજનો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓ અનુસાર, શનિવારે મળેલી છેલ્લી લાશ સડેલી હાલતમાં હતી. અહીં મોટી સંખ્યામાં પ્રાણીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્ર અનુસાર, અજાણ્યા મૃતદેહો અને પ્રાણીઓ સડી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી હતી. કિલ્લાની ટોચ પર આવેલા ઇર્શાલવાડી ગામમાં આ ભૂસ્ખલન થયું હતું.
ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી રેસ્ક્યુ ટીમને આ વિસ્તારમાં પહોંચવા માટે કલાકો સુધી ચાલવું પડ્યું હતું. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ ટુકડીઓને પણ લાપતા લોકોને શોધવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટીમ દુર્ઘટનામાં ગુમાવેલી જમીનનું મૂલ્યાંકન કરી રહી છે અને અસરગ્રસ્તોને જમીન ફાળવવાનો પ્રસ્તાવ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં તેમના આધાર કાર્ડ ખોવાઈ ગયા હોવાથી ગ્રામજનોને આધાર કાર્ડ સહિત વિવિધ પ્રમાણપત્રો અને દસ્તાવેજો આપવા માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવશે.
ભૂસ્ખલનમાં ઘર ગુમાવનારા લોકોના પુનર્વસન માટે રાજ્ય સરકારે ઇર્શાલવાડીના તમામ લોકોને ઘર આપવાનું વચન અપાયુ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
