Good News: આધારથી પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
Good News: આધારથી પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બુધવારે 31 માર્ચે આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ હતી પરંતુ જો તમે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવાનું ભૂલી ગયા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. આવકવેરા વિભાગે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021થી વધારી 30 જૂન 2021 સુધી લંબાવી દીધી છે. આવકવેરા વિભાગનો આ ફેસલો કોવિડ 19 મહામારીને સમયે થઈ રહેલી પરેશાનીને પગલે લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, 'ટેક્સપેયર્સ સામે આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતાં આધાર સંખ્યાની જાણકારી આપવા અને તેને પાન કાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 30 જૂન 2021 કરવા માટે કેન્દ્ર સરકારે આજે અધિસૂચના જાહેર કરી છે.'
બુધવારે છેલ્લો દિવસ હતો
અગાઉ સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડને જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ હતી જે બુધવારે સમાપ્ત થઈ ગઈ છે. જે મુજબ અંતિમ તારીખ સુધી લિંક ના કરવા પર પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે. આની સાથે જ બાદમાં જોડવા માટે દંડ પણ ચૂકવવો પડી શકે . હવે છેલ્લી તારીખ વધારી દેવાયા બાદ યૂઝર આસાનીથી કોઈ એડિશ્નલ દંડ ભર્યા વિના આધારને પાન કાર્ડ સાથે લિંક કરી શકે છે. આધાર ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા જાહેર કરવામાં આવેલ 12 અંકોની સંખ્યા છે અને તેને વિશિષ્ટ ઓળખ સંખ્યાના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યારે પાન કાર્ડ 10 અંકોનો આલ્ફા ન્યૂમેરિક નંબર છે અને આ આવકવેરા વિભાગ દ્વારા વહેંચવામાં આવે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
