અફઝલના મૃતદેહ અંગેની ચર્ચા સંસદમાં થવી જોઇએઃ મનમોહન સિંહ
મનમોહનસિંહે કહ્યું કે, અફઝલનો મૃતદેહ તેના પરિવારને આપવો કે નહીં તે અંગેની ચર્ચા સંસદભવનમાં થવી જોઇએ.
અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવ્યા બાદ તેની ફાંસીના વિરોધમાં પ્રદર્શનના કારણે જમ્મુ અને કાશ્મિરનું વાતાવરણ ડ્હોળાઇ ગયું હતું, જો કે, હવે ત્યાનું જીવન સામાન્ય થઇ ગયું છે. સાત દિવસના કરફ્યુ બાદ ત્યાં જીવન પહેલાની જેમ પાટા પર આવી ગયું છે.
સંસદ પર હુમલાનો દોષી અફઝલ ગુરુના મૃતદેહને તેના પરિવાર સોંપવાનો ગૃહમંત્રાલયે ઇનકાર કરી દીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કાશ્મીરમાં કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે આ નિર્ણય ગુપ્તચર એજન્સીઓના અહેવાલ લીધો. ગુપ્ત રિપોર્ટમાં એ વાતની શંકા વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો અફઝલનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવશે તો કાનૂન વ્યવસ્થા બગડી શકે છે. સરકારે આ ગુપ્ત રિપોર્ટના આધારે અફઝલ ગુરુનો મૃતદેહ નહીં સોંપવાનો નિર્ણય કર્યો છે.