અમેરિકા- ચીનની જેમ ભારતીય સેનાના 5 થિયેટર કમાંડમાં પૂનર્ગઠન થશે
અમેરિકા- ચીનની જેમ ભારતીય સેનાના 5 થિયેટર કમાંડમાં પૂનર્ગઠન થશે
નવી દિલ્હીઃ આધુનિક યુદ્ધ શૈલીની જરૂરતોને જોતાં ભારતીય સેનામાં સૌથી મોટો બદલાવ કરવામાં આવનાર છે. આ યોજનાનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે. જે અંતર્ગત ભારતીય સેનાના 5 થિયેટર કમાંડમાં પુનર્ગઠન કરવામાં આવશે. જેમાં એક-એક કમાન ખાસ કરીને ચીન અને અમેરિકા માટે બનેલી હશે. અત્યાર સુધી માત્ર અને અમેરિકા અને ચીનમાં જ આવા પ્રકારના થિયેટર કમાંડમાં ગઠન કરવામાં આવ્યા છે.
ભૂદળ, નૌસેના અને વાયુસેનાની સંયુક્ત કમાંડને થિયેટર કમાંડ કહેવામાં આવે છે. દેશમાં કેટલાય મોર્ચા પર સંભાવિત ખતરાને જોતાં ભારતીય સેનામાં એકીકૃત કમાંડની જરૂરત લાંબા સમયથી જણાવવામાં આવી રહી હતી. જેના માટે મોદી સરકારના સમયમાં ચીફ ઑફ ડિફેંસ સ્ટાફના ગઠનના રૂપમાં પહેલું પગલું ઉઠાવવામાં આવ્યું હતું. હાલની ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવતને મોદી સરકારે ભારતીય સેનાને થિયેટર કમાંડના રૂપમાં વર્ગીકૃત કરવાની કમાન સોંપી છે.
કેન્દ્ર સરકારે હાફિઝ સૈયદના બનેવી સહિત 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા
ત્રણેય સેનાઓના એકીકૃત થિયેટર કમાંડની અંદર પુનર્ગઠન કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટથી સંસ્તુતી મળ્યા બાદ જલદી જ રક્ષા મામલાના વિભાગ પાસે અતિરિક્ત અને સંયુક્ત સચિવોની નિયુક્તિ પણ કરી દેવામાં આવશે. 2022 સુધી થિયેટર કમાંડના ગઠનની સંભાવના જતાવવામા આવી રહી છે.