મોદીની રેલીના મુખ્ય અંશો, મહારાષ્ટ્ર મુંબઇથી અલગ નહી
સિંધખેડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના દોંડાઇચા, એરંડોલ, ખામગાંવ, નાગપુર અને નાસિકમાં પાંચ રેલીઓ કરશે. નરેન્દ્ર મોદીની આ રેલીઓ મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબરે થનાર ચૂંટણી માટે છે. મહારાષ્ટ્રના સિંઘખેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરી રહ્યાં છે. રેલીના મેદાનમાં જનતાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદી. જુઓ વિડીયોમાં

પાઇ-પાઇનો હિસાબ આપીશ
- 60 મહિના પુરા થતાં હું પાઇ-પાઇનો હિસાબ આપીશ. અમે વાયદા ચૂંટણી જીતવા માટે નહી લોકોના વિકાસ માટે કર્યા છે.

ખેડૂતોને ફાયદો પહોંચાડીશું
- સરકાર બની તો ખેડૂતોને ફાયદો પહોંચાડીશું. અમે કોંગ્રેસની માફક જુઠ્ઠાં વાયદા કરતા નથી.

મહારાષ્ટ્ર વિના દેશ આગળ વધશે નહી
- મહારાષ્ટ્ર વિના દેશ આગળ વધશે નહી, મહારાષ્ટ્ર દેશની દોડની તાકાત છે.

સરકાર બનશે તો નીતિઓ બદલાશે
- કોઇ મહારાષ્ટ્રને વહેંચી ન શકે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે તો નીતિઓ બદલાશે.

હિન્દુસ્તાન અધૂરું
- મહારાષ્ટ્ર, મુંબઇ વિના હિન્દુસ્તાન અધૂરું છે.

બે પેઢી બરબાદ કરી
- મહારાષ્ટ્રમાં સરકારોએ ગત 15 વર્ષોમાં બે પેઢી બરબાદ કરી દિધી.

મહારાષ્ટ્રનો મુક્તિ દિવસ
- 15 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રનો મુક્તિ દિવસ હશે.

વ્યાજનો બોજો વધી ગયો
- ખેડૂતો પર વ્યાજનો બોજો વધી ગયો એટલા માટે આત્મહત્યા કરી. વ્યાજ એટલું વધી જાય છે કે ચૂકવી શકતો નથી.

3700 ખેડૂતોએ આત્મહત્યા કરી
- દર વર્ષે લગભગ 3700 ખેડૂતોએ આત્મહત્યા કરી. 3700 પરિવારના બાળકો અનાથ થઇ ગયા. ખેડૂતોના આ હત્યારાઓને સજા થવી જોઇએ?

અઠવાડિયામાં 1 કરોડ ખાતા ખોલ્યા
- કોંગ્રેસના રાજમાં એક વર્ષમાં 1 કરોડ ખાતા ખુલ્યા હતા. અમે આવીને એક અઠવાડિયામાં ગરીબોના 1 કરોડ ખાતા ખોલી દિધા.

સાહુકાર પાસે જવાની જરૂરિયાત નહી પડે
- ભવિષ્યમાં ગરીબને સાહુકાર પાસે જવાની જરૂરિયાત નહી પડે. આ કામ મેં નક્કી કરી લીધું છે.

મહારાષ્ટ્રમાં તેજ ગતિથી વિકાસ થાય,
- મહારાષ્ટ્રમાં તેજ ગતિથી વિકાસ થાય, આદિવાસીઓનું કલ્યાણ થાય તે અપેક્ષા સાથે અમે આગળ વધીશું.

કામ કરવાની શક્તિ
- આદિવાસીઓના આ પ્રેમને જોઇને અભિભૂત છું. તમારો પ્રેમ મને તમારા માટે કામ કરવાની શક્તિ આપે છે.












Click it and Unblock the Notifications
