Lok Sabha Election 2024 : 4 પ્રકારના હિન્દુ ક્યારેય બીજેપીને મત નહીં આપે, પ્રશાંત કિશોરનો મોટો દાવો
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે રણનીતિનું કામ છોડીને બિહારમાં મોરચો બનાવીને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ દરમિયાન તેમને મોટો દાવો કર્યો છે.
લોકસભા ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, મોદી, રામમંદિર, રાષ્ટ્રવાદ અને લાભાર્થીઓ હોવા છતાં અડધાથી વધુ હિંદુઓ ભાજપને મત નથી આપી રહ્યા.

અહીં તેમણે મોટો દાવો કર્યો અને કહ્યું કે, ચાર પ્રકારના વૈચારિક હિંદુઓ ક્યારેય બીજેપીને મત નહીં આપે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે આ દાવો કર્યો.
તેમણે કહ્યું કે, 2019માં ભાજપને 38 ટકા વોટ મળ્યા હતા. દેશમાં મુસ્લિમોએ મત આપ્યા નહોતા. જો 80 ટકા હિંદુઓવાળા દેશમાં બીજેપીને માત્ર 38 ટકા વોટ મળે તો તેનો અર્થ એ છે કે અડધાથી પણ ઓછા હિંદુઓએ ભાજપને મત આપ્યો છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, મુસ્લિમ હોવાના કારણે અને જો તમે બીજેપી સામે લડવા માંગતા હોવ તો તમારે સમજવું પડશે કે કયા હિન્દુઓ ભાજપને વોટ નથી આપી રહ્યા. આ ચાર વિચારધારાના હિન્દુઓ છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, જે હિંદુઓ ગાંધીમાં વિશ્વાસ કરે છે તેઓ ભાજપના હિંદુત્વમાં વિશ્વાસ કરવાના નથી. આંબેડકરને માનનારા લોકો ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય સામ્યવાદી વિચારધારા ધરાવતા હિન્દુઓ ભાજપને મત આપવા તૈયાર નથી. એટલું જ નહીં સમાજવાદી લોહિયામાં માનનારા કેટલાક લોકો ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી.
તેમણે આગળ કહ્યું કે, આ ચાર વિચારધારામાં માનનારા લોકોએ મુસ્લિમો સાથે સામાજિક-રાજકીય ગઠબંધન કરવું જોઈએ અને તેમાંથી નવો વિકલ્પ બનાવવો જોઈએ. તેમને સાથે લાવવાની જરૂર છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, તો જ વિપક્ષની રચના થઈ શકે છે. તો જ ભાજપ સામે લડી શકીશું. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગાંધીજીની વિચારધારા એવી છે કે તેને સામ્યવાદીઓ, આંબેડકરવાદીઓ, સમાજવાદીઓ અને કોંગ્રેસીઓ સ્વીકારે છે. મુસ્લિમોએ કટ્ટરતા તરફ ન જવું જોઈએ. તેઓએ ગાંધીજીની વિચારધારાને અપનાવવી જોઈએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
