Lok sabha Election 2024: ભાજપમાં શામેલ થયા તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ, તામિલિસાઇ સુંદરરાજન બદશે રાજકીય સમીકરણ
Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. જે બાદથી જોડતોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે ભાજપમાં ઘણા નેતાઓ જોડાઇ રહ્યા છે. તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ અને પોંડિચેરીના ઉપરાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યાના બે દિવસ બાદ તમિલિસાઇ સુંદરરાજન ફરીથી ભાજપમાં સામેલ થઇ ગયા છે.
તમિલિસાઈ ભાજપમાં જોડાયા - તેલંગાણાના ગવર્નર પદ છોડનારી તમિલિસાઈ સુંદરરાજન તમિલનાડુમાં ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ ચેન્નાઈમાં પાર્ટીના મુખ્યાલય કમલાલયમ ખાતે સુંદરરાજનને સભ્યપદ કાર્ડ આપ્યું હતું.

એક પ્રેસ કોન્ફરન્સ યોજીને, તમિલિસાઈ સુંદરરાજને જણાવ્યું હતું કે, તેમ છતાં તેમનું પદ છોડવું એ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ તેઓ પાર્ટી માટે પાછા કામ કરવા બદલ ખુશ છે.
તેમણે જણાવ્યું હતું કે, વનથી શ્રીનિવાસન અહીં બેસતા હતા. તેઓ રાજકારણમાં સફળ મહિલાઓનું ઉદાહરણ છે. આ સૌથી ખુશીનો દિવસ છે. આ એક મુશ્કેલ નિર્ણય છે. ગવર્નર તરીકે મારા માટે ઘણી સુવિધાઓ હતી. ગવર્નર પદ છોડવાનો મને એક ટકા પણ અફસોસ નથી. મેં તેલંગાણામાં ઘણા પડકારો જોયા છે. તેમના ગવર્નરશીપ દરમિયાન ચાર મુખ્યમંત્રીઓ જોયા છે.
તમિલનાડુમાં ફરી કમળ ખીલશે - તમિલિસાઈ - તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમિલનાડુમાં કમળ ચોક્કસપણે ખીલશે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે, તમિલિસાઈએ તેમનું પદ છોડી દીધું છે. કારણ કે, તેઓ રાજ્યમાં યોગદાન આપવા માંગે છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ સરળ નિર્ણય નથી. એનડીએ 400થી વધુ સીટો જીતવા જઈ રહી છે. એટલા માટે તમિલિસાઈ રાજકારણમાં રહીને ભાજપમાં યોગદાન આપવા માંગે છે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. આજે તેઓ ફરી એક કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા છે.
તમિલિસાઈએ જણાવ્યું હતું કે, આ દર્શાવે છે કે, તે લોકો અને ભાજપ પાર્ટીને કેટલો પ્રેમ કરે છે. કિશન રેડ્ડી ગઠબંધન અને સીટ વહેંચણીની વાટાઘાટો માટે પાંચ દિવસ માટે ચેન્નાઈમાં છે. તેણી નોંધપાત્ર વહીવટી અનુભવ સાથે આવે છે. અમે તેમને અમારી પાર્ટીમાં પાછા આવકારીએ છીએ. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારના રોજ સુંદરરાજનનું રાજીનામું સ્વીકારી લીધું હતું.
તેમનું રાજીનામું સ્વીકાર્યા પછી, રાષ્ટ્રપતિ મુર્મુએ ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને તેલંગાણાના રાજ્યપાલ અને પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યો ઉપરાંત નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમની પોતાની ફરજો નિભાવવા માટે નિમણૂક કરી છે.
આ અગાઉ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના વડા એમકે સ્ટાલિને લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. સ્ટાલિને પાર્ટીનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો અને આરોપ લગાવ્યો હતો કે, ભાજપે છેલ્લા દસ વર્ષમાં દેશને બરબાદ કરી દીધો છે.
#WATCH | Chennai, Tamil Nadu | Tamilisai Soundararajan rejoins BJP, two days after she resigned from the posts of Telangana Governor and Puducherry Lt Governor. pic.twitter.com/S7QJuJ7iWa
— ANI (@ANI) March 20, 2024
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
