Lok Sabha Election : પંજાબમાં બીજેપી ફરીથી અકાલી દળ સાથે ગઠબંધન કરી શકે, જાણો ક્યાં સુધી પહોંચી વાત?
લોકસભા ચૂંટણી માટે પંજાબમાં બીજેપી માટે કપરા ચઢાણ છે. અહેવાલ છે કે અહીં બીજેપી ફરીથી અકાલી દળનો હાથ પકડી શકે છે.
પંજાબમાં પહેલા જ આમ આદમી પાર્ટીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે તમામ 13 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. હવે ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધનની ચર્ચા શરૂ થઈ છે.

પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને મતદાન થશે. ઈન્ડિયા ટુડે અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા એસએસ ચન્નીએ કહ્યું કે પંજાબમાં બંને પાર્ટીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
અકાલી દળ 22 માર્ચે કોર કમિટીની બેઠક યોજશે. તેના નિર્ણય બાદ ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે બેઠક થશે. આ પછી ગઠબંધન અંગે અંતિમ નિર્ણય લેવાશે.
શિરોમણી અકાલી દળની કોર કમિટીની બેઠક ચંદીગઢમાં યોજાશે. અકાલી દળના વરિષ્ઠ નેતા અને પાર્ટીના મહાસચિવ ડૉ. દલજીત સિંહ ચીમાએ પણ પુષ્ટિ કરી કે બેઠક દરમિયાન ચૂંટણી ગઠબંધન સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગઠબંધનની શક્યતા અંગે સંકેત આપતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે જ્યારે પણ કોર કમિટીની બેઠક થાય છે ત્યારે તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. રણનીતિની સાથે દેશ અને પંજાબની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
